![]()
અમદાવાદ, મંગળવાર
કુબેરનગરમાં બે દિવસ પહેલા તકરાર થઇ હતી જેની અદાવત પાર પાડવા માટે મધરાતે સાતથી વધુ લોકો લાકડીઓ લઇને આવ્યા હતા અને વેપારીના ઘરના દરવાજાની તોડફોડ કરીને પથ્થરમારો ક્રીને આતંક મચાવ્યો હતો. એટલું જ નહી તારા ભાઇએ મારા કાકા સાથે કેમ મગજ મારી કરી હતી કહીને ચેટીં ચાંદ સુધી તારા ભાઇ જ્યાં મળશે તેને ઉઠાવીને પતાવી દઇશું તેવી ધમકી આપી હતી. રાતે ૩ વાગે કરેલા પથ્થરમારોનો વિડિયો વાયરલ થતાં સરદારનગર પોલીસે સાત લોકો સામે રાયોટિંગ સહિતની કલમ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
તારા ભાઇએ મારા કાકા સાથે કેમ મગજ મારી કરી હતી કહીને રાતે ૩ વાગે પથ્થરમારો કરતો વિડિયો વાયરલ થતાં પોલીસે ગુનો નોંધ્યો
કુબેરનગર જી વોર્ડમાં મહાકાલી મંદિર પાસે રહેતા અને રાયપુરમાં કાપડનો વ્યવસાય કરતા મનીષભાઇ ક્રિશ્વનાની (ઉ.વ.૪૧)એ સરદારનગર પોલીસ સ્ટેશનમાં નાના ચિલોડા ખાતે રહેતા હરેશ તથા કુબેરનગરમાં રહેતા સંજય સહિત સાત લોકો સામે ફરિયાદ નોંધાવી છે કે તા. ૧૫ના રોજ ફરિયાદી વૈષ્ણોદેવી સર્કલથી ઘરે આવતા હતા ત્યારે તેમના ભાઇની મિત્ર આરોપીએ વોટ્સએપ કોલ કરીને કહ્યું કે તારા બે ભાઇ મારા કાકા સાથે કેમ મગજ મારી કરી હતી તેઓ જ્યાં મળશે ત્યાંથી ઉઠાવીને પતાવી દઇશું. આ પ્રમાણે વારંવાર ધમકી આપતાં કંટાળીને યુવકે મોબાઇલ સ્વીચ ઓફ કર્યો હતો.
ઘરે આવીનેે તેઓ પરિવાર સાથે સૂતા હતા અને રાતે ૩ વાગે આરોપીઓ લાકડીઓ લઇને તેમના ઘર પાસે આવ્યા હતા. પડોશીએ ફોન કરીને તમારા ઘર પાસે લોકો લાકડીઓ લઇને આવ્યા છે તમે ઘર બહાર નીકળતા નહી જેથી ફરિયાદીએ રસોડાની બારીમાંથી જોયું તો આરોપીઓ ગાળો બોલાની ઘરના દરવાજાની તોડફોડ કરીને પથ્થરમારો કરતા હતા અને બુમો પાડીને બે ભાઇને ચેટી ચાંદ સુધીમાં પતાવી દઇશું કહીને ધમકી આપીને જતા રહ્યા હતા. આ બનાવનો વિડિયો વાયરલ થતાં સરદારનગર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.










