![]()
વડોદરાઃ કેન્દ્ર સરકારની જળ જીવન મિશન, સ્વચ્છત ભારત મિશન, આયુષ્માન ભારત યોજના અને પોષણ ૨.૦ યોજનાનોગુજરાતમાં યોગ્ય રીતે અમલ થાય છે કે નહીં તેની જાણકારી માટે અને તેના પર સૂચનો મેળવવા માટે નીતિ આયોગે એમ.એસ.યુનિવર્સિટી પર પસંદગી ઉતારી છે.
નીતિ આયોગની ડેવલપમેન્ટ મોનિટરિંગ એન્ડ ઈવેલ્યુશન ઓફિસ યોજનાઓના અમલીકરણનો તાગ મેળવવા માટે અગાઉ બે રાઉન્ડમાં અન્ય સંસ્થાઓને આ પ્રકારની જવાબદારી સોંપી ચૂકી છેે.ત્રીજા રાઉન્ડમાં ગુજરાતના વિવિધ વિસ્તારોમાં ફિલ્ડ સર્વે કરવાની, લોકોના અભિપ્રાય મેળવવાની અને તેના આધારે યોજનાઓના સંદર્ભમાં જરુરી સૂચનો કરવાની જવાબદારી એમ.એસ.યુનિવર્સિટીને આપવામાં આવી છે.તેના નોડલ ઓફિસર તરીકે એજ્યુકેશન એન્ડ સાયકોલોજી ફેકલ્ટીના વરિષ્ઠ પ્રોફેસર કે.પુષ્પનાધમની નિમણૂંક કરવામાં આવી છે.વિદ્યાર્થીઓને પણ ફિલ્ડ સર્વે કરવા માટે તાલીમ અને માર્ગદર્શન આપવા માટેની રિસર્ચ ટીમમાં યુનિવર્સિટીના રજિસ્ટ્રાર અને પ્રોફેસર કે એમ ચુડાસમા, સોશ્યલ વર્કના પ્રોફેસર સુનિતા નામ્બિયાર અને આર્ટસ ફેકલ્ટીના ડો.વિરેન્દ્રસિંઘનો સમાવેશ કરાયો છે.
પ્રોફેસર ચુડાસમાએ કહ્યું હતું કે, આખા ગુજરાતમાંથી એક માત્ર એમ.એસ.યુનિવર્સિટીની પસંદગી કરાઈ છે અને તે યુનિવર્સિટીની પ્રતિષ્ઠા અને સામાજિક કાર્યો માટે યોગદાન આપવાની પ્રતિબધ્ધતાને દર્શાવે છે.










