
Fake Pesticide : કેન્દ્ર સરકારે ખેડૂતોના હિતમાં આજે મોટો નિર્ણય લીધો છે. કેન્દ્રીય કૃષિ મંત્રી શિવરાજ સિંહ ચૌહાણે નકલી જંતુનાશક વેચનારાઓ સામે કડક કાર્યવાહી કરવા માટે અધિકારીઓને આદેશ આપી દીધા છે. જંતુનાશક દવાઓના કારણે ખેડૂતોના પાકને ભારે નુકસાન થતું હોવાની ફરિયાદ મળી હતી, ત્યારબાદ સરકારે આ આદેશ આપ્યા છે.
અનેક ખેડૂતોની ફરિયાદ બાદ લેવાયો નિર્ણય
ગુરુવારે (24 જુલાઈ) દિલ્હીમાં ઉચ્ચસ્તરીય બેઠક યોજાઈ હતી, જેમાં મંત્રી ચૌહાણે જંતુનાશક મામલે મહત્ત્વના આદેશ આપવાની સાથે કહ્યું કે, ‘વિવિધ રાજ્યોમાં પ્રવાસ કર્યા બાદ ખેડૂતો દ્વારા ફરિયાદ કરવામાં આવી છે કે, નકલી જંતુનાશક દવાઓના કારણે તેમનો પાક ખરાબ થઈ જાય છે, જેના કારણે તેઓને મોટું નુકસાન થાય છે.










