Gandhinagar News : ગુજરાત રાજ્ય વહીવટ વિભાગ દ્વારા રાજ્ય કક્ષાના મંત્રી અને કેબિનેટ મંત્રીના અંગત સચિવ (PS) અને અંગત મદદનીશ (PA)ની નિમણૂક મામલે નોટિફિકેશન જાહેર કરવામાં આવ્યું છે.
ગુજરાતના નવા મંત્રીમંડળની શપથવિધિના દોઢ મહિના બાદ મંત્રીઓના PA અને PSની ફાળવણી કરવામાં આવી છે. મંત્રીઓએ કામગીરી શરૂ કરી દેવામાં આવી હતી. પરંતુ PA અને PSની ફાળવણી ન થતાં કાર્યમાં થોડી મુશ્કેલી પડતી હોવાનું સામે આવ્યું હતું. અંતે રાજ્યના વહીવટ વિભાગ દ્વારા મંત્રીઓના PA અને PSની નિમણૂક કરી છે.














