
પ્રથમવાર ચંદ્રના વાતાવરણ પર સીએમઈનું અવલોકન
ચંદ્રયાન પર લગાવેલા ચેસ-ટુની શોધથી ચંદ્ર પર માનવ વસતી અને સંશોધન કેન્દ્રોની સ્થાપનામાં સહાય મળશે
નવી દિલ્હી: ભારતીય અંતરિક્ષ સંસ્થા ઈસરોએ અંતરિક્ષ અનુસંધાન ક્ષેત્રમાં એક નવું કીર્તિમાન સ્થપિત કર્યું છે. ઈસરોએ જાહેરાત કરી છે કે ચંદ્રયાન ટુ લુનર ઓર્બિટરે પ્રથમ વાર સૂર્યના કોરોનલ માસ ઈજેક્શન (સીએમઈ)ની ચંદ્રના વાતાવરણ પર સીધી અસરની નોંધ કરી છે. આ શોધ પ્રમાણિત કરે છે કે સૌર ગતિવિધિ ચંદ્રના પાતળા એક્સોસ્ફિયર અને સપાટીને પણ પ્રભાવિત કરી શકે છે, જે ભવિષ્યમાં ચંદ્ર પર માનવ વસતી અને સંશોધન કેન્દ્રોની યોજના માટે અત્યંત મહત્વપૂર્ણ સાબિત થશે.










