![]()
Jamnagar : જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકાના ઈશ્વરીયા ગામમાં ખેતી કામ દરમિયાન એક કરુણાજનક બનાવ બન્યો હતો, અને થ્રેસર મશીનમાં આવી જતાં એક ખેડૂત યુવાને જીવ ખોયો છે.
ઈશ્વરીયા ગામમાં રહીને ખેતી કામ કરતો મુકેશભાઈ ભીખાભાઈ બડીયાવદરા નામનો 36 વર્ષનો ખેડૂત યુવાન ગઈકાલે પોતાની વાડીમાં મગફળી કાઢવાનું કામ કરી રહ્યો હતો, જે દરમિયાન અકસ્માતે પોતે થ્રેસર મશીનમાં આવી ગયો હતો, અને તેને શરીરે ગંભીર ઈજા થઈ હોવાથી તેનું કરુણ મૃત્યુ નીપજ્યું છે.
આ બનાવ અંગે મૃતકના પિતા ભીખાભાઈ સવાભાઈ બડીયાવદરાએ પોલીસને જાણ કરતાં જામજોધપુરના પોલીસે મૃતદેહનો કબજો સંભાળી વધુ તપાસ હાથ ધરી છે.










