
જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકાના કોટડા બાવીસી ગામમાં બાવીસી માતાજીના મંદિર પાસે રહેતી હીનાબેન હરિભાઈ પરમાર નામની 25 વર્ષની દેવીપુજક પરણિત યુવતીએ ગઈકાલે પોતાના ઘેર ગળાફાંસા દ્વારા આત્મહત્યા કરી લઈ પોતાની જિંદગીના અંત લાવી દેતાં ભારે ચકચાર જાગી છે.
આ બનાવ અંગે મૃતકના પિતા હરિભાઈ ઉકાભાઇ પરમારે પોલીસને જાણ કરતાં જામજોધપુરના પીએસઆઇ એચ.બી. વડાવીયા એ બનાવના સ્થળે પહોંચી જઈ મૃતદેહનો કબજો સંભાળ્યો છે, અને આ બનાવ અંગે વધુ તપાસ હાથ ધરી છે.










