![]()
Jamnagar Crime : જામનગરમાં ગોકુલનગર વિસ્તારમાં રહેતા અને કાપડની દુકાન ચલાવતા માનવભાઈ ચંદ્રેશભાઇ તારવાણી નામના 21 વર્ષના વેપારી યુવાને પોતાના ઉપર હુમલો કરી માથું ફોડી નાખવા અંગે આદેશ ભરતભાઈ, વિશાલ ભરતભાઈ, ગફારભાઈ તથા તેના એક સાગરીત સહિત ચાર શખ્સો સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. ઇજાગ્રસ્ત વેપારી યુવાનને જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે, અને તેને માથામાં ટાંકા લેવા પડ્યા છે.
પોલીસ ફરિયાદમાં જાહેર કરાયા અનુસાર ફરિયાદી યુવાનની કારને નડેલા અકસ્માતનો ખર્ચ આપવા બાબતે ફરિયાદી વેપારી અને આરોપી આદેશ ભરતભાઈ સાથે બોલાચાલી થઈ હતી, જે બાબતેના મનદુઃખના કારણે આ હુમલો કરાયાનું પોલીસમાં જાહેર થયું છે.










