![]()
Jamnagar : જામનગરના મરીન નેશનલ પાર્કના મુખ્ય વન સંરક્ષકની રાહબરી હેઠળ નિવૃત મુખ્યવન સંરક્ષક, નાયબ વન સંરક્ષક, મદદનીશ વન સંરક્ષક તેમજ મદદનીશ વન સંરક્ષકની રાહબરી હેઠળ 12 ટીમો બનાવવામાં આવી હતી અને તેમાં પ્રત્યેક ટીમમાં પાંચ પાંચ સભ્યોને જોડવામાં આવ્યા હતા.
પ્રથમ દિવસે બપોર બાદ તમામ ટીમ દ્વારા પક્ષી ગણતરીનો પ્રારંભ થયો હતો, અને સૂર્યાસ્ત સુધી પક્ષી ગણતરી કરવામાં આવી હતી. ત્યારબાદ તમામ ટીમને વિરામ અપાયો છે, અને ત્યાં જ રાત્રી રોકાણ કર્યું છે. જે સમગ્ર ટીમો આવતીકાલે વહેલી સવારથી પુન: પક્ષી ગણતરીના કાર્યનો પ્રારંભ કરશે.










