![]()
– મૃતકના પુત્રએ રાણપુર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી
– મહિલા બસમાંથી ઉતરી પગપાળા ઘરે જતા હતા ત્યારે અકસ્માત સર્જાયો
ભાવનગર : જાળિયા ગામના બસ સ્ટેશન પાસે પગપાળા ઘર તરફ જઈ રહેલ મહિલાને એસટી બસે અડફેટે લેતા મહિલાનું મોત નિપજ્યું હતું.
રાણપુર તાલુકાના જાળીયા ગામે રહેતા જગદીશભાઈ ભકાભાઈ નંદોળીયાના બા કુંવરબેન એસટી બસ નંબર જીજે ૧૮ ઝેડ ૯૭૪૮ વમાંથી નીચે ઉતરી ગામ તરફ જતા હતા. તે દરમ્યાન એસટી બસના ચાલકે પોતાની એસટી બસ પુરઝડપે તથા બેદરકારી પુર્વક હંકારી કુંવરબેનને અડફેટે લેતા બન્ને પગે ગંભીર ઇજા તથા શરીરે તથા હાથે સામાન્ય ઇજા થતા મહિલાને ગંભીર હાલતે હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા જ્યાં તેમનું મોત નિપજ્યું હતું.આ બનાવ સંદર્ભે મૃતકના પુત્ર જગદીશભાઇએ રાણપુર પોલીસ મથકમાં એસટી બસ ચાલક વિરુધ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.










