![]()
– સ્વચ્છત ભારત મિશન અંતર્ગત 6 ગામોમાં કચરાના પૃથ્થકરણના ગ્રેડ
– 10 ગામોમાં પ્રથમ વખત હાથ ધરેલ ઓડિટમાં 23 સખી મંડળ, 64 પ્રધાનમંત્રી આવાસ અને 660 વિધવા બહેનોને આર્થિક સહાયનો રીપોર્ટ સામે આવ્યો
ભાવનગર : સામાજિક ઓડિટ યુનિટ ગાંધીનગર અને જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી ભાવનગરના માર્ગદર્શન હેઠળ પ્રથમ વખત જિલ્લાના ૧૦ ગ્રામ પંચાયતોમાં જુલાઇ માસ દરમિયાન સામાજિક ઓડિટની કામગીરી માટે ગ્રામ સભા યોજવામાં આવી હતી. જે આગામી દિવસોમાં તબક્કાવાર યોજાશે.
ભાવનગર તાલુકાના કોળિયાક, તળાજા તાલુકાના મીઠીવીરડી, ઘોઘા તાલુકાના નવાગામ અને મામસા, મહુવા તાલુકાનું લોંગીયા, સિહોર તાલુકાનું રાજપરા (ખોડીયાર), પાલિતાણા તાલુકાનું માયધાર, જેસર તાલુકાનું પા ગામ, ગારિયાધાર તાલુકાનું નાની વાવડી, ઉમરાળા તાલુકાનું લીમડા અને વલ્લભીપુર તાલુકાનું મેવાસા ગામ ખાતે યોજાયેલ સામાજિક ઓડિટ ગ્રામ સભામાં વિવિધ યોજનાઓમાં થયેલ કામગીરી, ખર્ચ તેમજ લાભાર્થીઓની યાદીનો અહેવાલ ગ્રામસભામાં રજૂ કરવામાં આવ્યો હતો.
આ ઓડિટ ગ્રામ સભામાં ૧૦ ગામો પૈકી માયધાર, નાની વાવડી, કોળિયાક, મામસા, નવાગામ અને મીઠી વીરડીમાં સેમીગ્રેશન શેડ હોવાનું જણાયું છે. તો આ દસ ગામોમાં કુલ ૬૪ લાભાર્થી પ્રધાનમંત્રી આવાસ યોજનાના હોવાનું તેમજ ગંગા સ્વરૂપ આર્થિક સહાયમાં ૬૬૦ વિધવા બહેનોને દર મહિને ૧૨૫૦ની મર્યાદામાં સહાય ચુકવાઇ છે તો કુલ ૨૩ સખી મંડળ કાર્યરત હોવાનું જણાયું છે. આમ આ ૧૦ ગામોનું ઓડીટ પ્રથમ વખત થયું છે. જ્યારે આવતા દિવસોમાં તબક્કાવાર અન્ય ગામોનું પણ યોજનાકીય ઓડિટ અને પ્રશ્નો સાંભળવામાં આવશે.










