![]()
વડોદરા,જૂનીગઢી વિસ્તારમાં પથ્થરમારો અને તોડફોડ કરવાના ગુનામાં સિટિ પોલીસે વધુ ચાર આરોપીઓને ઝડપી પાડયા છે. આ સાથે પકડાયેલા તોફાનીઓની સંખ્યા ૬૦ પર પહોંચી ગઇ છે.
ઇન્સ્ટાગ્રામ પર ધાર્મિક લાગણી દુભાવતી પોસ્ટ અપલોડ કરવામાં આવતા તોફાન થયું હતું. ઉશ્કેરાયેલા ટોળાએ સિટિ પોલીસ સ્ટેશનનો ઘેરાવ કરી નારેબાજી કરી હતી. ત્યારબાદ ટોળાએ જૂનીગઢી તરફ ધસી જઇ પથ્થરમારો અને વાહનોની તોડફોડ કરી નવરાત્રિના પંડાલને પણ નુકસાન પહોંચાડયું હતું. આ ગુનામાં પોલીસે અત્યારસુધી કુલ ૫૬ તોફાનીઓને ઝડપી પાડયા હતા. આજે સિટિ પોલીસે આ ગુનામાં વધુ ચારને ઝડપી પાડયા છે. જેમાં (૧) આસિફ ઉર્ફે ડોન યાસીનભાઇ ખોખર (રહે. ત્રિકોણીયા સર્કલ સામે, અજબડી મિલ) (૨) ઇસાક મહંમદરફીક શેખ (૩) અરબાજખાન અમજદખાન પઠાણ (બંને રહે.અજબડી મિલ પાસે) (ર્૪) હુમાયુ હારૃનઅહેમદ શેખ (રહે. મદાર મહોલ્લો,યાકુતપુરા) નો સમાવેેશ થાય છે. જ્યારે ટોળાની ઉશ્કેરણી કરવાના ગુનામાં રિમાન્ડ પર લેવાયેલા ત્રણ આરોપીઓના રિમાન્ડ આજે પૂરા થતા તેઓને જેલમાં મોકલી આપવામાં આવ્યા છે.










