
BJP Brigadier Anil Gupta : એશિયા કપમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે યોજાનારી ક્રિકેટ મેચ પહેલાં ભારતમાં રાજકીય વિવાદ વધુ ઘેરો બન્યો છે. આ વિવાદ વચ્ચે ભાજપના પ્રવક્તા બ્રિગેડિયર અનિલ ગુપ્તાએ એક મોટું નિવેદન આપતા કહ્યું કે, જો ભારત આ મેચ નહીં રમે તો તેના પર આંતરરાષ્ટ્રીય પ્રતિબંધ પણ લાગી શકે છે. તેમણે આ મેચને વ્યૂહાત્મક દૃષ્ટિએ ખૂબ જ મહત્વપૂર્ણ ગણાવી છે, કારણ કે તે આંતરરાષ્ટ્રીય જવાબદારીઓ સાથે જોડાયેલી છે. તેમણે કહ્યું કે ભારત 2036ના ઓલિમ્પિક ગેમ્સની યજમાની કરવાનો પ્રયાસ કરી રહ્યું છે, જેના માટે આંતરરાષ્ટ્રીય નિયમોનું પાલન કરવું જરૂરી છે.










