
લખતર સહિતના શહેરી વિસ્તારો તેમજ ગ્રામ્ય વિસ્તારોેમાં વાજતે ગાજતે ભગવાન ઠાકોરજીની પાલખી યાત્રા યોજાઈ
સુરેન્દ્રનગર – ભાદરવા સુદ અગિયારસને પરિવર્તની એકાદશી કહેવાય છે. શાોમાં જણાવ્યા મુજબ ભાદરવા સુદ એકાદશીએ નિંદ્રામાં પોઢેલા વિષ્ણુ ભગવાન પડખું ફેરવતા હોવાથી આ દિવસે તેમને નદી, સરોવરના જળમાં સ્નાન કરાવવાનું મહત્વ છે. ત્યારે સમગ્ર ઝાલાવાડમાં પરિવર્તની એકાદશીની ઉજવણી કરવામાં આવી હતી.
જેમાં સુરેન્દ્રનગર અને વઢવાણ સહિતના શહેરી વિસ્તારોમાં તેમજ લખતર શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારની અંદર જળજીલણી અગિયારસની પરંપરાગત રીતે ઉજવણી કરવામાં આવી હતી.










