
અમદાવાદ : ભારતમાંથી રત્ન અને ઝવેરાત ઉત્પાદનો પર યુએસ આયાત ટેરિફમાં તાજેતરમાં વધારાને કારણે દ્વિપક્ષીય વેપારમાં નોંધપાત્ર વિક્ષેપ પડવાની સંભાવના છે. ૨૭ ઓગસ્ટ, ૨૦૨૫થી અમલમાં આવતા, વિવિધ રત્નો અને ઝવેરાતની ચીજવસ્તુઓ પર યુએસએ દ્વારા ૫૦% ટેરિફ લાદવામા આવ્યો છે, જેમાં કટ અને પોલિશ્ડ હીરા, લેબ-ગ્રોન હીરા, સોનું, ચાંદી, પ્લેટિનમ અને ઇમિટેશન જ્વેલરીનો સમાવેશ થાય છે.
અગાઉ, આ ઉત્પાદનો પર વસ્તુના આધારે ૦% થી ૧૩.૫% સુધીનો ટેરિફ લાગતો હતો, જે ૧ ઓગસ્ટ ૨૦૨૫થી વધીને ૨૫% થયો હતો.










