![]()
Raghuram rajan News : આરબીઆઈના પૂર્વ ગવર્નર રઘુરામ રાજનનું માનવું છે કે અમેરિકા ચીન વચ્ચે ચાલી રહેલા ટ્રેડ વૉરમાં ભારતે તકનો લાભ લેવાની જરૂર છે અને તેને મોટો ફાયદો થઇ શકે છે પણ શરત એટલી કે ભારતે તેના દરેક પગલાં સાવચેતીપૂર્વક લેવા પડશે. તેમણે કહ્યું કે હાલનો સમય રોકાણ વધારવા અને ભારતના નિકાસકારોને ટેકો કરવાની સાથે સાથે અમેરિકા સાથે વેપાર મંત્રતાને ઝડપથી આગળ વધારવાનો છે.
ભારત માટે તક ગણાવી
રઘુરામ રાજને કહ્યું કે વિશ્વના બે મોટા દેશો વચ્ચે વેપારમાં ઘર્ષણને લીધે બિઝનેસ વર્લ્ડમાં અનિશ્ચિતતાઓ સર્જાઈ શકે છે અને તે ભારત માટે તક સમાન બની જશે પણ શરત એટલી કે ભારત ખૂબ જ સાવચેતીપૂર્વક આગળ વધે. હાલનો સમય કમર કસવાનો અને અમેરિકા સાથે વેપાર મંત્રણાને ઝડપથી આગળ વધારવાનો છે જેથી રોકાણ વધારી શકાય અને ભારતીય નિકાસકારોને સમર્થન કરી શકાય.
ટેરિફ વૉર અંગે શું કહ્યું રઘુરામ રાજને?
તેમની આ ટિપ્પણી એવા સમયે આવી છે જ્યારે આખી દુનિયા અમેરિકાના પ્રમુખ ટ્રમ્પના ટેરિફ વૉર સામે ઝઝૂમી રહી છે. તેમણે ટ્રમ્પના ટેરિફના પગલાને ઓછા સમયમાં સેલ્ફ ગોલ ગણાવતા ચેતવણી ઉચ્ચારી હતી કે અમેરિકાનું અર્થતંત્ર ટેરિફ વૉરને કારણે પાટા પરથી ઉતરી શકે છે. તેમણે કહ્યું કે બેરોજગારી ખરેખર નીચલા સ્તરે હતી અને મોંઘવારી હાઈ લેવલ પરથી નીચે આવતી હતી. ફેડ પણ દરોમાં ઘટાડવા વિચારી શકે તેમ હતું પણ ટેરિફ અચાનક મોટો ઝટકો સાબિત થયો.










