
– અભિનેતામાંથી રાજનેતા બનેલા વિજયને જોવા માટે ગાંડપણ, ભીડ બેકાબુ થતા મોટી જાનહાની
– વિજય છ કલાક મોડો પહોંચતા 30 હજારથી વધુ લોકો એકઠા થઇ ગયા હતા, અનેક લોકોએ ગુંગળામણને કારણે જીવ ગુમાવ્યો
– મોદીએ મૃતકોને શ્રદ્ધાંજલિ પાઠવી, મુખ્યમંત્રી સ્ટાલિન આજે ઘાયલોની મુલાકાતે પહોંચશે, વિજયની મુશ્કેલી વધી
– મૃતકોમાં ૧૫થી વધુ મહિલાઓ, છ બાળકોનો સમાવેશ, 50થી વધુ બેભાન અવસ્થામાં હોસ્પિટલમાં દાખલ
ચેન્નાઇ/કરૂર : તમિલનાડુના કરૂરમાં અભિનેતામાંથી રાજનેતા બનેલા વિજયની રેલીમાં ધક્કામુક્કીમાં બેભાન થઇ જવાથી આશરે ૩૧ જેટલા લોકો માર્યા ગયા હતા. આ દરમિયાન અનેક લોકો બેભાન થઇ ગયા હતા જેમને બાદમાં તાત્કાલીક હોસ્પિટલ લઇ જવાયા હતા.










