
– રિટેલ, ઇ-કોમર્સ, બેંકિંગ, નાણાકીય સેવાઓ વગેરેમાં જોબ ઉભી થશે
– હંગામી નવી ભરતીમાં મહાનગરોમાં પગાર 12-15% અને ઉભરતા શહેરોમાં 18-22% ટકા વધવાની આશા
અમદાવાદ : આગામી તહેવારોની મોસમ દરમિયાન દેશભરમાં ૨.૧૬ લાખથી વધુ કામચલાઉ નોકરીઓનું સર્જન થવાની ધારણા છે. નોકરી સર્જનમાં ૨૦૨૫માં વાર્ષિક ધોરણે ૧૫-૨૦ ટકાનો વધારો થવાની સંભાવના છે. બુધવારે જાહેર કરાયેલા વર્કફોર્સ સોલ્યુશન્સ ફર્મ એડેકો ઇન્ડિયાના અહેવાલ અનુસાર તહેવારોની માંગને પહોંચી વળવા માટે કામચલાઉ અને પાર્ટ-ટાઇમ રોજગારમાં વધારો રિટેલ, ઇ-કોમર્સ, બેંકિંગ અને નાણાકીય સેવાઓ, લોજિસ્ટિક્સ, હોસ્પિટાલિટી, ટ્રાવેલ અને ફાસ્ટ મૂવિંગ કન્ઝયુમર ગુડ્સ જેવા ક્ષેત્રો દ્વારા પ્રેરિત થવાની ધારણા છે.










