
Tirupati Temple News : આંધ્રપ્રદેશના તિરુપતિ જિલ્લાના તિરુમાલા સ્થિત શ્રી વેંકટેશ્વર સ્વામી મંદિરને 2019થી 2024 સુધી 250 કરોડથી વધુ રકમનું બનાવટી ઘી વેચવામાં આવ્યું હતું. તેનો પર્દાફાશ મંદિરના પ્રસિદ્ધ લાડુ પ્રસાદમમાં ભેળસેળની તપાસ માટે રચાયેલી ખાસ તપાસ ટુકડી (સીટ) એ કર્યો છે.
સિટની રચના સુપ્રીમ કોર્ટના આદેશના પગલે કરવામાં આવી હતી. સ્પેશ્યલ ઇન્વેસ્ટિગેશન ટીમના અધિકારીઓએ જણાવ્યું હતું કે બનાવટી ઘી કથિત રીતે હર્ષ ફ્રેશ ડેરી પ્રોડક્ટ્સ અથવા ભોલે બાબા ઓર્ગેનિક ડેરી મિલ્ક પ્રાઇવેટ લિમિટેડ અને તેની સહાયક કંપનીઓ વૈષ્ણવી ડેરી સ્પેશ્યાલિટીઝ લિમિટેડ, માલગંગા મિલ્ક એન્ડ એગ્રોપ્રોડક્ટ્સ પ્રાઇવેટ લિમિટેડ અને એઆર ડેરી ફૂડ્સ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા પૂરુ પાડવામાં આવ્યું હતું.










