
Salman Khurshid : પૂર્વ કેન્દ્રીય મંત્રી અને વરિષ્ઠ કોંગ્રેસ નેતા સલામ ખુર્શીદે સોશિયલ મીડિયા પોસ્ટ કરીને પોતાની પીડા શેર કરી છે. થરૂર બાદ ખુર્શીદ બીજા કોંગ્રેસી નેતા છે, જેઓ પોતાની જ પાર્ટીના નેતાઓ પર નિશાન સાધી રહ્યા છે. વાસ્તવમાં બંને નેતાઓ તે સર્વપક્ષીય પ્રતિનિધિ મંડળના સભ્ય છે, જે આતંકવાદ સામે ભારતે લીધેલા પગલાં વિશે અન્ય દેશોને માહિતગાર કરવાની ભૂમિકા ભજવી રહ્યા છે, તેમજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ઉઠાવાયેલા પગલાઓના વખાણ કરી રહ્યા છે.
‘કેટલાક લોકો મારી રાજકીય નિષ્ઠા પર ધ્યાન કેન્દ્રીત કરી રહ્યા છે’
ખુર્શીદે આજે (2 જૂન) સોશિયલ મીડિયા એક્સ પર કહ્યું કે, હું દુઃખી છું કે, દેશમાં લોકો મારી રાજકીય નિષ્ઠાની ગણતરી કરી રહ્યા છે.










