![]()
એ આખરીનામું અસહાયતા, હતાશા, માનસિક અસંતુલન, અને મૂર્ખતા દર્શાવે છે : તેમ કહેતાં ઈરાનના લશ્કરી નેતાઓએ કહ્યું ‘યુદ્ધ હવે ડેન્જરસ ન્યૂ લેવલે પહોંચી ગયું છે
નવીદિલ્હી : અમેરિકાના પ્રમુખ ટ્રમ્પે ચેતવણી ઉચ્ચારી હતી કે, ‘જો ઈરાન ૪૮ કલાકમાં મંત્રણાના મેજ ઉપર નહીં આવે તો તેના મહત્વનાં માથાનાં સંસાધનોનો નાશ કરીશું.
પ્રમુખ ટ્રમ્પનાં આ આખરીનામાને ઈરાને અસહાયતા, હતાશા, માનસિક અસંતુલનભર્યું કહેવા સાથે તેને મૂર્ખતાભર્યું પણ કહ્યું હતું.
પ્રમુખ ટ્રમ્પનાં એ વિધાનો અને એ ધમકીનો ધમાકેદાર જવાબ આપતાં ઈરાનના લશ્કરી નેતાઓએ કહ્યું હતું કે યુદ્ધ હવે ‘ડેન્જરસ-ન્યૂ-લેવલ’ ઉપર પહોંચી ગયું છે.
ઈરાનનાં ખાતમ અલ અનલિયા સેન્ટ્રલ હેડકવાર્ટર્સમાં બોલતાં જનરલ અલિ અબ્દોલારી અલિયાબાડીએ ટ્રમ્પનાં તે રાજકીય વિધાનોનો આ રીતે કરારો જવાબ આપ્યો હતો. સાથે કહ્યું હતું કે, ‘અમારી ઉપર તો નર્ક તૂટી પડે તે પહેલાં તો અમેરિકા સામે નર્કના દરવાજા ખુલી જશે.’ જો અમેરિકા તેની યોજના પ્રમાણે આગળ વધશે.
તે સર્વવિદિત છે કે આ પૂર્વે પ્રમુખ ટ્રમ્પે ઈરાનને ચેતવણી આપી હતી કે, ‘જો ઈરાન શાંતિ સમજૂતી’ નહીં સાધે તો સમગ્ર નર્કની તેની ઉપર વર્ષા થશે. તેણે ૪૮ કલાકમાં જ હોર્મુઝ સ્ટ્રેઈટસ (સમુદ્રધુનિ) ખોલવી જ પડશે કારણ કે તે વ્યૂહાત્મક દ્રષ્ટિએ પણ મહત્વની છે. બીજી તરફ ઈરાને દબાણને વશ થવાનો સ્પષ્ટ ઈન્કાર કર્યો હતો.
આ સાથે અલિયાબાદીએ કહ્યું હતું કે જો અમેરિકા હુમલા ચાલુ રાખશે તો તેના વળતા પ્રહારરૂપે ઈરાન મધ્યપૂર્વમાં રહેલા અમેરિકાનાં તમામ મથકો ઉપર તૂટી પડશે. ઈરાનનાં સશસ્ત્રદળો દેશનાં સાર્વભૌમત્વની રક્ષા માટે એક ક્ષણ પણ રોકાશે નહીં અને આક્રમણનો તેટલી જ તાકાતથી જવાબ આપશે.










