અમદાવાદ,શનિવાર,15 નવેમ્બર,2025
એપ્રિલ-૨૫થી શરુ થયેલા નાણાંકીય વર્ષના માત્ર સાત મહિનામાં
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને પ્રોપર્ટી ટેકસની રુપિયા ૧૨૭૦.૯૩ કરોડ આવક થઈ છે.
મિલકતવેરાની અંદાજવામા આવેલી આવક સામે અત્યારસુધીમા ૭૨.૮૧ ટકા આવક થઈ ગઈ છે.
પશ્ચિમ ઝોનમાંથી અત્યારસુધીમાં મિલકતવેરાની રુપિયા ૩૦૯.૩૧ કરોડ આવક થવા પામી છે.આ
ઉપરાંત પ્રોફેશન અને વહીકલ ટેકસની આવક મળી તમામ ટેકસની આવક રુપિયા ૧૬૦૧.૦૭ કરોડ થઈ
ગઈ છે.
૧ એપ્રિલથી ૧૫ નવેમ્બર-૨૫ સુધીમાં શહેરના મધ્યઝોનમાંથી રુપિયા
૧૫૬.૯૭ કરોડ, ઉત્તરઝોનમાંથી
રુપિયા ૯૯.૫૭ કરોડ, દક્ષિણ
ઝોનમાંથી રુપિયા ૧૦૨.૭૬ કરોડ,
પૂર્વ ઝોનમાંથી રુપિયા ૧૩૫.૪૧ કરોડ,
પશ્ચિમ ઝોનમાંથી ૩૦૯.૩૧ કરોડ મિલકતવેરાની આવક થવા પામી છે.ઉત્તર-પશ્ચિમ
ઝોનમાંથી રુપિયા ૨૭૮.૨૮ કરોડ,
દક્ષિણ-પશ્ચિમ ઝોનમાંથી રુપિયા ૧૮૮.૬૨ કરોડ આવક થવા પામી છે.પ્રોફેશન ટેકસની રુપિયા
૧૭૦.૩૪ કરોડ આવક થવા પામી છે.જે લક્ષ્યાંક ની સામે ૬૩.૦૬ ટકા તથા વ્હીકલ ટેકસની રુપિયા
૧૪૩.૬૧ કરોડ આવક થવા પામી છે. જે લક્ષ્યાંકની સામે ૬૬.૩૫ ટકા આવક છે.તમામ ટેકસની
૭૧.૦૩ ટકા આવક થઈ છે.
મિલકતવેરો નહીં ભરનારા ૪૪૫ કરદાતાઓની મિલકત બોજા હેઠળ મુકાઈ
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી બાકી મિલકતવેરો નહીં
ભરતા કરદાતાઓને અવારનવાર નોટિસ અપાય છે. આ ઉપરાંત વેરા વસૂલી માટે મિલકત સીલ કરી
જે બાકીદારોની મિલકત કલેકટરના રેકર્ડ ઉપર બોજા હેઠળ મુકાય છે.જેથી બાકી મિલકતવેરો
ભરપાઈ ના થાય ત્યાં સુધી મિલકત ધારક તેની મિલકત વેચી શકતો નથી.આ વર્ષમાં આવા ૪૪૫
કરદાતાઓની મિલકત બોજા હેઠળ મુકાઈ છે.બાકીદારોની ૧૦૦ મિલકતની હરાજી હાથ ધરાઈ હતી.૫૪
કરદાતાઓએ હરાજી પ્રક્રીયા પહેલા બાકી નીકળતા મિલકતવેરાની ભરપાઈ કરી દીધી હતી.










