![]()
– નેસવડ ગામ નો યુવાન આઠ દિવસ પહેલા ગુમ થયો હતો
– ફાયર બ્રિગેડે. મૃતદેહને બહાર કાઢી પોલીસને સુપ્રત કરતા પોલીસે તપાસ હાથ ધરી
ભાવનગર : મહુવાના નેસવડ ગામે રહેતા ૨૩ વર્ષીય યુવાન છેલ્લા આઠ દિવસથી ગુમ થયો હતો દરમિયાનમાં આજે નેસવડ ગામના પાણી ભરેલી ખાણમાંથી યુવાનનો કોહવાયેલી હાલતે મૃતદેહ મળી આવતા ચાર મચી જવા પામી હતી.
મહુવાના નેસવડ ગામે રહેતા મહેશભાઈ અરજણભાઈ મકવાણા (ઉ.વ. ૨૩) છેલ્લા આઠ દિવસથી ઘરેથી ગુમ થઈ ગયા હતા તેમજ પરિવાર અને પોલીસ વિભાગ યુવાન ની શોધ ખોળ હાથ જરી રહ્યો હતો દરમિયાનમાં નેસવડ ગામે આવેલા પથ્થરની ખાણમાં પાણી ભરાયેલા હોય આ ખાણમાંથી યુવાનનો કોહવાયેલી હાલતે મૃતદેહ મળી આવ્યો હતો આ બનાવ અંગે ફાયર બ્રિગેડને જાણ કરતા ફાયર બ્રિગેડ સ્થળ પર પહોંચી પાણી ભરાયેલા ખાણમાંથી યુવાનો મૃતદેહ બહાર કાઢી પોલીસને સુપ્રત કર્યો હતો. પોલીસે મૃતદેહને પીએમ અર્થે ખસેડી વધુ તપાસ હાથ ધરી છે.










