
રાજકોટ નજીકનાં આણંદપર બાધી ગામની ઘટના : કુહાડાના ઘા ઝીંકી હત્યા કર્યા બાદ પતિ ભાગી જવાને બદલે પત્નીની લાશ પાસે બેઠો રહ્યો
રાજકોટ, : રાજકોટ નજીકનાં આણંદપર બાધી ગામે કમલીબાઈ ઉર્ફ કમલેશબાઇ (40)ની ખુદ તેનાં પતિ રામચરણ કૈલાશ સેહરિયા (41)એ કુહાડાનાં ઘા ઝીંકી હત્યા કરી નાખી હતી. કમલીબાઈને તેનાં પતિને વાડીમાં રહેતી મહિલા સાથે ‘અફેયર’ હોવાની શંકા હતી. બસ આ કારણથી બંને વચ્ચે ઝઘડો થયા બાદ મામલો હત્યા સુધી પહોંચ્યો હતો.
હત્યા બાદ આરોપી રામચરણ ભાગી જવાને બદલે પત્નીની લાશ પાસે બેઠો રહ્યો હતો.










