
– કાશ્મીર પાકિસ્તાનના ગળાની નસ : મુનિરે સતત બીજા દિવસે ઝેર ઓક્યું
– પરમાણુ હુમલાની ધમકીઓની કોઇ જ અસર નહીં થાય, દેશની સુરક્ષા માટે તમામ પગલા લઇશું : ભારતનો જવાબ
નવી દિલ્હી/વોશિંગ્ટન : પાકિસ્તાનના ફિલ્ડમાર્શલ આસિમ મુનીરે ભારત જ નહીં અડધી દુનિયાને લઈને ડૂબવાનો દાવો કર્યા પછી ભારતે સોમવારે પાકિસ્તાનની આકરી ઝાટકણી કાઢી હતી. વિદેશ મંત્રાલયે જણાવ્યું કે, પાકિસ્તાનના આર્મી પ્રમુખ આસીમ મુનીરનું નિવેદન જ દર્શાવે છે કે પડોશી દેશમાં સાયલન્ટ તખ્તાપલટ થઈરહ્યો છે. પાકિસ્તાનમાં લોકતંત્રની કોઈ વ્યવસ્થા નથી ત્યાં સૈન્ય પાસે જ અસલી પાવર છે. આવા સંજોગોમાં પાકિસ્તાનના પરમાણુ હથિયારો ખોટા હાથોમાં જઈ શકે છે.










