![]()
રાણુપર તાલુકાના ઉમરાળા ગામની ચોકડી ખાતે
ઉમરાળા પોલીસ મથકમાં પીકઅપ વાહનના ચાલક વિરૂદ્ધ ગુનો નોંધાયો
ભાવનગર: રાણપુર તાલુકાના ઉમરાળા ગામની ચોકડી પાસે પીકઅપ વાહને અડફેટે લેતા મુળ મધ્યપ્રદેશના વતની અને હાલ ખેતર ભાગ્યું રાખી મજુરી કામ કરતા યુવકનું મોત નિપજ્યું છે. બનાવ અંગે રાણપુર પોલીસે ગુનો નોંધ્યો છે.
મુળ મધ્યપ્રદેશના અલીરાજપુરના વતની અને હાલ રાણપુર તાલુકાના ઉમરાળા ગામે રહી વિરમભાઈ મીઠાપરાની વાડીએ ભાગ્યું રાખીને ખેતી કામ કરતા રાહુલભાઈ તેરસિંગભાઈ પચાયાએ રાણપુર પોલીસ મથકમાં જીજે-૦૩-બીટી-૨૯૭૩ના ચાલક વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી. જેમાં તેમના ભાઈ મોહીતભાઈ બાઈક લઈને ઉમરાળા ગામથી ભાગીયું રાખેલી વાડીએ આવતા હતા ત્યારે ઉમરાળા ગામની ચોકડી પાસે પાળીયાદથી રાણપુર તરફ જતાં ઉક્ચ પિકઅપ વાહનના ચાલકે તેમના ભાઈની બાઈક સાથે અકસ્માત સર્જી ગંભીર ઈજા પહોંચાડી મોત નિપજાવ્યું હતું. બનાવ અંગે રાણપુર પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.









