![]()
સાબરમતી જેલમાંથી છૂટયા બાદ
જે બાતમીના આધારે આ ટીમ પુંધરા ગામમાં પહોંચી હતી અને આ કેદીને ઝડપી લીધો હતો. જેને સાબરમતી જેલ હવાલે કરવામાં આવ્યો છે.
ગાંધીનગર : ગાંધીનગર પોલીસ દ્વારા હાલ ફરાર આરોપીઓને પકડવા માટે ખાસ
ડ્રાઈવ ચલાવવામાં આવી રહી છે ત્યારે ગાંધીનગર એલસીબીની પેરોલ-ફર્લો ટીમ દ્વારા
સાબરમતી જેલમાંથી પેરોલ ઉપર છૂટીને પરત નહીં ફરેલા હત્યાના ગુનાના કેદીને
પુંધરામાંથી ઝડપી લેવામાં આવ્યો છે અને સાબરમતી જેલમાં મોકલી આપવામાં આવ્યો હતો.
ગાંધીનગર એલસીબીની પેરોલ-ફ્લો ટીમ દ્વારા બાતમીના આધારે
પકડીને પરત જેલમાં મોકલી અપાયો
ગાંધીનગર જિલ્લામાં વિવિધ પોલીસ મથકના ગુનાઓમાં ફરાર
આરોપીઓને પકડવા માટે ખાસ ડ્રાઇવ ચલાવવામાં આવી રહી છે ત્યારે ગાંધીનગર જિલ્લા
પોલીસ વડા રવિ તેજા વાસમસેટ્ટીએ લાંબા સમયથી ફરાર ચાલી રહેલા કેદીઓને ઝડપી પાડવા
માટે વિશેષ ઝુંબેશ ચલાવવાનો નિર્દેશ આપ્યો હતો.
જેના પગલે એલસીબી ટુ પોલીસ ઇન્સ્પેક્ટર એચ.પી પરમાર દ્વારા
ટીમોને તાકીદ કરવામાં આવી હતી અને આ ટીમોએ પેરોલ, ફર્લો,
વચગાળાના જામીન અને પોલીસ જાપ્તામાંથી ફરાર થયેલા કેદીઓની યાદી તૈયાર કરી હતી.
સ્થાનિક બાતમીદારો અને ટેકનિકલ સોર્સનો ઉપયોગ કરીને આ કેદીઓ અને આરોપીઓના
આશ્રયસ્થાનો વિશે માહિતી એકત્રિત કરવાની ઝુંબેશ શરૃ કરવામાં આવી હતી. આ દરમિયાન
તેમને ચોક્કસ બાતમી મળી હતી કે સાબરમતી જેલમાંથી હત્યાના ગુનાનો કાયમી કેદી રમેશ
જીજાભાઈ રાવળ પેરોલ રજા પરથી ફરાર થયો હતો,
તે હાલમાં માણસા તાલુકાના પુંધરા ગામમાં પોતાના ઘરે છે.










