
Animals Deserve Love Too: સુપ્રીમ કોર્ટ દ્વારા તાજેતરમાં દિલ્હી અને NCR ના રસ્તાઓ પરથી રખડતા કૂતરાઓને પકડીને તેમને શેલ્ટર હોમમાં રાખવા અને તેમને નસબંધી કરવાનો આદેશ આપ્યો હતો. આ સાથે જ સુપ્રીમ કોર્ટે દિલ્હી અને NCR વહીવટીતંત્રને આદેશ આપ્યો હતો કે, ફરીથી જાહેર સ્થળોએ રખડતા કૂતરાઓને ન છોડે. હવે ટીમ ઈન્ડિયાના પૂર્વ કેપ્ટન કપિલ દેવે આ મામલે એન્ટ્રી કરી છે. કપિલ દેવે રખડતા કૂતરાઓના ઉકેલ માટે સંવેદનશીલ અને માનવીય વિકલ્પો અપનાવવાની અપીલ કરી છે.










