
– પૂરમાં માર્યા ગયેલા લોકોના પરિવારને પાંચ લાખની સહાયની મમતાની જાહેરાત
– પૂરમાં ગેંડા સહિત જંગલના અનેક પશુઓ તણાયા, અનેક માર્યા ગયા હોવાના અહેવાલ, હાલ રેસ્ક્યૂ ઓપરેશન શરૂ
કોલકાતા : પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ તાજેતરમાં બંગાળમાં આવેલા પૂરને લઇને મોટો દાવો કર્યો છે. તેમણે કહ્યું હતું કે આ કુદરતી નહીં પણ માનવ સર્જિત પૂર છે. પાણીને છોડવામાં અનિયમિતતાને કારણે આ પૂર આવ્યું હતું. સાથે જ તેમણે પૂર અને ભુસ્ખલનમાં જે પણ લોકો માર્યા ગયા તેમના પરિવારને પાંચ લાખ રૂપિયા અને એક વ્યક્તિને સરકારી નોકરી આપવાની જાહેરાત કરી હતી.










