![]()
બાજવા – છાણીનો રસ્તો 24 મીટરના સ્થાને 6 મીટરનો બનાવવા અંગે ગ્રામજનોએ ભારે હોબાળો મચાવી ભ્રષ્ટાચારના આક્ષેપ સાથે કામગીરી અટકાવી હતી
બાજવા- છાણીનો રસ્તો સારો બનાવવા વર્ષોથી ગ્રામજનો રજૂઆત કરી રહ્યા છે. દરમ્યાન આજે કોર્પોરેશન દ્વારા આ રસ્તો બનાવવાની કામગીરી હાથ ધરાતા ગ્રામજનોએ હોબાળો મચાવી કામગીરી અટકાવી હતી. બાજવા ગ્રામ પંચાયત ચેરમેનનું કહેવું છે કે, છેલ્લા 40 વર્ષથી આ રસ્તો બનાવવા માટે રજૂઆત કરી રહ્યા છે. તાજેતરમાં મુખ્યમંત્રીએ રેલ્વે ગરનાળાથી ગધેડા ગેટ સુધીનો પોણા બે કિલોમીટરનો રસ્તો 24 મીટરનો મંજૂર કર્યો હોવાની જાહેરાત કરી હતી. આજે કોર્પોરેશન દ્વારા માત્ર 6 મીટરનો રસ્તો બનાવવાની કામગીરી હાથ ધરાતા ભ્રષ્ટાચાર જણાતા છાણી અને બાજવાના રહીશોએ કામગીરી અટકાવી હતી, આ અંગે વાઘોડિયા ધારાસભ્યને રજૂઆત કરાતા કોર્પોરેશનના કાર્યપાલક ઇજનેર સ્થળ પર પહોંચ્યા હતા. અને ખાતરી આપી છે કે, રસ્તો 24 મીટરનો બનાવીશું.










