દેવભૂમિ દ્વારકા, જયદીપ લાખાણી: રાજ્ય સરકારના પ્રવાસન વિભાગ અને જિલ્લા વહીવટી તંત્ર, દેવભૂમિ દ્વારકાના સંયુક્ત ઉપક્રમે આગામી તા.૧૬/૦૫/૨૦૨૬ના રોજ રાત્રે ૦૯ કલાકે દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ તાલુકાના પ્રસિદ્ધ તીર્થસ્થળ હાથલા ખાતે શ્રી શનિદેવ મહારાજની જન્મજયંતિ નિમિતે સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.
આ કાર્યક્રમમાં પ્રખ્યાત લોકસાહિત્યકાર રાજભા ગઢવી તથા લોકગાયક ભૂમિ આહિર દ્વારા લોકડાયરો પ્રસ્તુત કરવામાં આવશે. આ કાર્યક્રમમાં સાંસદ પૂનમબેન માડમ, ધારાસભ્ય મુળુભાઇ બેરા, ધારાસભ્ય પબુભા માણેકની પ્રેરક ઉપસ્થિતિ રહેશે.










