gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ભાદરવી પૂનમના મહામેળાના ચોથા દિવસે 7 લાખ ભક્તોએ મા અંબાજીના દર્શન કર્યા, કરોડો રૂપિયાનું દાન મળ્યું …

G METRO NEWS by G METRO NEWS
September 5, 2025
in GUJARAT
0 0
0
ભાદરવી પૂનમના મહામેળાના ચોથા દિવસે 7 લાખ ભક્તોએ મા અંબાજીના દર્શન કર્યા, કરોડો રૂપિયાનું દાન મળ્યું …
0
VIEWS
Share on FacebookShare on Twitter


Bhadravi Poonam Mela 2025: યાત્રાધામ અંબાજીમાં ભાદરવી પૂનમનો મહામેળો મધ્યાતરે પહોંચ્યો છે. અંબાજીમાં ચાર દિવસથી શ્રદ્ધાળુઓનો મહાસાગર છલકાયો છે. ઉત્તર ગુજરાતના માર્ગો પર પદયાત્રીકોનો પ્રવાહ અવિરત અંબાજી તરફ પ્રયાણ કરી રહ્યો છે. ગુરૂવારે (ચોથી સપ્ટેમ્બર) મહાકુંભના ચોથા દિવસે 7.43 લાખ ભક્તોએ મા અંબાના ચરણોમાં શિશ ઝુકાવ્યાં હતા અને ચાર દિવસમાં કુલ 22.43 લાખ ભક્તોએ મા અંબાના દર્શન કરીને ધન્યતા અનુભવી હતી. આ ઉપરાંત 1609 ધજાઓ ચડાવવામાં આવી હતા.જ્યારે 7.360 ગ્રામ સોનાનું અને 500 ગ્રામ ચાંદી માતાને ચઢાવવામાં આવ્યું છે અને ભંડારાથી 1.43 કરોડ રૂપિયાનું દાન મળ્યું છે. 

ભાદરવી પૂનમના મહામેળાના ચોથા દિવસે 7 લાખ ભક્તોએ મા અંબાજીના દર્શન કર્યા, કરોડો રૂપિયાનું દાન મળ્યું 2 - image

અંબાજીને જોડતા માર્ગો પર શ્રદ્ધાનું ઘોડાપુર ઉમટ્

અંબાજીમાં જગ પ્રસિદ્ધ ભાદરવી પૂનમના સાત દિવસીય મહામેળામાં અંબાજી માતાને નવરાત્રિનું તેંડુ આપવા દુર દુરથી પદયાત્રીઓ સંઘો વાજતે ગાજતે મા અંબાના ધામ આરાસુર તરફ પ્રયાણ કરતા અંબાજીને સાંકળતા પાલનપુર, આબુરોડ, વિરમપુર, ખેડબ્રહ્મા, દાંતા, ખેરાલુ, સતલાસણા સહિતના માર્ગો પર જય અંબેનો નાદ ગુંજી ઉઠ્યો છે. પદયાત્રીઓ માતાજીના દર્શન કરવાના દ્રઢ સંકલ્પ અને અદમ્ય ઉત્સાહ સાથે આગળ વધી રહ્યા છે. તેમજ સેવા કેમ્પો દ્રારા પણ યાત્રીઓની અવિરત સેવા કરવામાં આવી રહી હોય ભાદરવીના મેળાને લઈ આરાસુરમાં શક્તિ, ભક્તિ સાથે સેવાનો અનોખો ત્રિવેણી સંગમ સર્જાયો છે. જેમાં ગુરૂવારે અંબાજીને જોડતા માર્ગો પર જાણે શ્રદ્ધાનું ઘોડાપુર ઉમટ્યું હોય તેમ માનવ સાંકળ રચાઈ હતી.

ભાદરવી પૂનમના મહામેળાના ચોથા દિવસે 7 લાખ ભક્તોએ મા અંબાજીના દર્શન કર્યા, કરોડો રૂપિયાનું દાન મળ્યું 3 - image

મેળાના ચોથા દિવસે યાત્રાળુનો અવિરત પ્રવાહ અંબાજી મા શ્રદ્ધાળુઓનો સાગર છલકાતા 7.43 લાખ જેટલા માતાજીના દિવ્ય દર્શનનો લહાવો લીધો હતો. હાલમાં યાત્રાધામ અંબાજીમાં યોજાયેલા ભાદરવી પૂનમનો મેળો તેના મધ્યાંતરે પહોંચ્યો છે. વહિવટી તંત્ર દ્વારા યાત્રિકોની સુરક્ષા સહીતની અન્ય સુવિધાઓનું આ વર્ષે વિશેષ આયોજન કર્યું છે. જ્યારે સેવાભાવી સંસ્થાઓ દ્વારા પણ ઉત્તર ગુજરાતના પાંચ જિલ્લામાં ઠેર ઠેર પદયાત્રીકો માટે સેવા કેમ્પોમાં વ્યવસ્થા કરવામાં આવી છે. મોટાભાગના પગપાળા સંઘો અત્યારે અંબાજી નજીક પહોંચી રહ્યા છે. 

ભાદરવી પૂનમના મહામેળાના ચોથા દિવસે 7 લાખ ભક્તોએ મા અંબાજીના દર્શન કર્યા, કરોડો રૂપિયાનું દાન મળ્યું 4 - image

આ પણ વાંચો: ભાદરવી પૂનમના મહામેળામાં આધ્યાત્મિકતા અને ટેકનોલોજીનો અનોખો સંગમ, ભક્તો અભિભૂત

લાલ ડંડાવાળો પગપાળા સંઘ સતત 191મા વર્ષે અંબાના ધામ પહોંચ્યો

મહામેળાના ચોથા દિવસે અમદાવાદના પ્રખ્યાત લાલ ડંડા વાળો સંઘ તેની 191મી પદયાત્રા લઈને મા અંબાના ધામમાં પહોંચ્યો હતો.   મા અંબાના ચાચર ચોકમાં વર્ષોની પરંપરા મુજબ સૌપ્રથમ માતાજીના ગરબા ગાયા હતા. ત્યારબાદ મા અંબાના શિખરે ધજાઓ ચઢાવવામાં આવી હતી. આ પદયાત્રા સંઘમાં 51 બ્રાહ્મણો કે જેઓ માતાજીનું નિશાન લઈને અમદાવાદથી અંબાજી સુધી જમીન ઉપર મૂક્યા વગર સતત હાથમાં પકડીને વર્ષોની પરંપરા મુજબ આવી પહોંચ્યા હતા. આ સંઘમાં જોડાયેલા 450થી વધુ પદયાત્રીઓએ માતાના દર્શન કરી સૌ કોઈ સુખી થાય અને સૌનું સ્વાસ્થ્ય સારૂરહે તે માટે મા અંબાને પ્રાર્થના કરી હતી.

ભાદરવી પૂનમના મહામેળાના ચોથા દિવસે 7 લાખ ભક્તોએ મા અંબાજીના દર્શન કર્યા, કરોડો રૂપિયાનું દાન મળ્યું 5 - image

અંગદાનની જાગૃતિ માટે યુવાનોની સાયકલ યાત્રા

અંબાજીમાં ચાલી રહેલા ભાદરવી પૂનમના મહા મેળામાં લોકો દૂર દૂરથી પોતાની માનતા-આખડીઓ પૂરી કરવા કઠિન પદયાત્રા કરી રહ્યાં છે. ત્યારે ડીસામાં સાયકલ ગ્રૂપના 40 જેટલા યુવાનો માનવ જિંદગીને બચાવવા અંગદાન એ સૌથી પુણ્યશાળી કાર્ય હોવાથી સમાજમાં વધુને વધુ લોકો આ પુણ્યશાળી કાર્યમાં જોડાય તે માટે અંગદાન મહાદાનનો સંદેશો ફેલાવવા માટે ડીસાથી અંબાજીની સાયકલ યાત્રા યોજી હતી. અંબાજી પહોચી વધુમાં વધુ લોકો અંગદાનનો સંકલ્પ લે તેવી પ્રાર્થના કરવામાં આવશે.

ભાદરવી પૂનમના મહામેળાના ચોથા દિવસે 7 લાખ ભક્તોએ મા અંબાજીના દર્શન કર્યા, કરોડો રૂપિયાનું દાન મળ્યું 6 - image

મા અંબાના શિખરે હજારો લાલ ધજાઓ ચઢાવવાનો સિલસિલો

પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીમાં ભાદરવી પૂનમ મહામેળાના ચોથા દિવસે માઈ ભક્તોનો મહાસાગર હિલોળે ચડયો હતો. મા અંબાના ચાચર ચોકમાં માઇ ભક્તોનો જાણે કે મહાસાગર છલકાયો હોય તેમ હકડેઠઠ માઈભક્તો ઉમટયા હતા. જ્યારે વહેલી સવારથી જ મા અંબાના દર્શન માટે પદયાત્રીઓનો ભારે ઘસારો કરતાં મંદિરના શિખરે હજારો લાલ ધજાઓ ચઢાવવાનો સિલસિલો શરૂ થયો હતો. 



G METRO NEWS

G METRO NEWS

Related Posts

‘જે શાળા વિદ્યાર્થીઓને ન સાચવી શકે, તેને સંચાલન કેવી રીતે સોંપવું’, સેવન્થ ડે સ્કૂલની હાઈકોર્ટે ઝાટક…
GUJARAT

‘જે શાળા વિદ્યાર્થીઓને ન સાચવી શકે, તેને સંચાલન કેવી રીતે સોંપવું’, સેવન્થ ડે સ્કૂલની હાઈકોર્ટે ઝાટક…

February 11, 2026
વડોદરા મહાનગરપાલિકા રૂ. 200 કરોડના ‘બ્લ્યુ બોન્ડ’ બહાર પાડશે, જાણો રોકાણકારો અને નાગરિકોને શું થશે ફ…
GUJARAT

વડોદરા મહાનગરપાલિકા રૂ. 200 કરોડના ‘બ્લ્યુ બોન્ડ’ બહાર પાડશે, જાણો રોકાણકારો અને નાગરિકોને શું થશે ફ…

February 11, 2026
પક્ષીઓનું સ્વર્ગ બન્યું નળ સરોવર, 270 પ્રજાતિના 6.42 લાખથી વધુ પક્ષીઓની હાજરી, ગણતરીની ટેકનિક જાણવા …
GUJARAT

પક્ષીઓનું સ્વર્ગ બન્યું નળ સરોવર, 270 પ્રજાતિના 6.42 લાખથી વધુ પક્ષીઓની હાજરી, ગણતરીની ટેકનિક જાણવા …

February 11, 2026
Next Post
વાઘોડિયામાં ભારે વરસાદના કારણે નગર જળબંબાકાર : જલારામ નવીનગરીના ઘરોમાં ઘૂંટણસમા પાણી ભરાયાં | Heavy …

વાઘોડિયામાં ભારે વરસાદના કારણે નગર જળબંબાકાર : જલારામ નવીનગરીના ઘરોમાં ઘૂંટણસમા પાણી ભરાયાં | Heavy ...

કડાણા ડેમમાંથી 1.50 લાખ ક્યુસેક પાણી છોડાતા મહી નદીમાં પૂર : સિંધરોટ સહિત નીચાણવાળા ગામોમાં પાણી ફરી…

કડાણા ડેમમાંથી 1.50 લાખ ક્યુસેક પાણી છોડાતા મહી નદીમાં પૂર : સિંધરોટ સહિત નીચાણવાળા ગામોમાં પાણી ફરી...

વડોદરામાં આજવા સરોવરના 62 દરવાજા ખોલી નાખવામાં આવ્યા | 62 gates of Ajwa Lake opened in Vadodara

વડોદરામાં આજવા સરોવરના 62 દરવાજા ખોલી નાખવામાં આવ્યા | 62 gates of Ajwa Lake opened in Vadodara

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ખેડાઃ શાળામાં છઠ્ઠા ધોરણમાં અભ્યાસ કરતી 25 વિદ્યાર્થિની એકસાથે બીમાર, કારણ અકબંધ | Kheda School Inci…

ખેડાઃ શાળામાં છઠ્ઠા ધોરણમાં અભ્યાસ કરતી 25 વિદ્યાર્થિની એકસાથે બીમાર, કારણ અકબંધ | Kheda School Inci…

5 months ago
જામનગરમાં કટલેરીનો વેપારી ઇંગ્લિશ દારૂ અને બિયરના ટીન સાથે પકડાયો : સપ્લાયરનું નામ ખુલ્યું | Cutlery…

જામનગરમાં કટલેરીનો વેપારી ઇંગ્લિશ દારૂ અને બિયરના ટીન સાથે પકડાયો : સપ્લાયરનું નામ ખુલ્યું | Cutlery…

3 weeks ago
પોલીસે આરોપીને સાથે રાખી વીડિયોગ્રાફી સાથે ઘટનાનું રિકન્સટ્રક્શન કર્યું | The police reconstructed t…

પોલીસે આરોપીને સાથે રાખી વીડિયોગ્રાફી સાથે ઘટનાનું રિકન્સટ્રક્શન કર્યું | The police reconstructed t…

2 weeks ago
નવા લેબર કોડ લાગુ થતાં સપ્તાહમાં 3 રજા મળશે? નિયમ અંગે સરકારની સ્પષ્ટતા | Working day in week as new…

નવા લેબર કોડ લાગુ થતાં સપ્તાહમાં 3 રજા મળશે? નિયમ અંગે સરકારની સ્પષ્ટતા | Working day in week as new…

2 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

Follow Us

Recommended

ખેડાઃ શાળામાં છઠ્ઠા ધોરણમાં અભ્યાસ કરતી 25 વિદ્યાર્થિની એકસાથે બીમાર, કારણ અકબંધ | Kheda School Inci…

ખેડાઃ શાળામાં છઠ્ઠા ધોરણમાં અભ્યાસ કરતી 25 વિદ્યાર્થિની એકસાથે બીમાર, કારણ અકબંધ | Kheda School Inci…

5 months ago
જામનગરમાં કટલેરીનો વેપારી ઇંગ્લિશ દારૂ અને બિયરના ટીન સાથે પકડાયો : સપ્લાયરનું નામ ખુલ્યું | Cutlery…

જામનગરમાં કટલેરીનો વેપારી ઇંગ્લિશ દારૂ અને બિયરના ટીન સાથે પકડાયો : સપ્લાયરનું નામ ખુલ્યું | Cutlery…

3 weeks ago
પોલીસે આરોપીને સાથે રાખી વીડિયોગ્રાફી સાથે ઘટનાનું રિકન્સટ્રક્શન કર્યું | The police reconstructed t…

પોલીસે આરોપીને સાથે રાખી વીડિયોગ્રાફી સાથે ઘટનાનું રિકન્સટ્રક્શન કર્યું | The police reconstructed t…

2 weeks ago
નવા લેબર કોડ લાગુ થતાં સપ્તાહમાં 3 રજા મળશે? નિયમ અંગે સરકારની સ્પષ્ટતા | Working day in week as new…

નવા લેબર કોડ લાગુ થતાં સપ્તાહમાં 3 રજા મળશે? નિયમ અંગે સરકારની સ્પષ્ટતા | Working day in week as new…

2 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..
  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News