![]()
– દિવાળી પર્વ નજીક છે ત્યારે તંત્રને મેઈન્ટેનન્સ કામગીરી યાદ આવી
– વલ્લભીપુર બ્રાન્ચ કેનાલમાં મેઈન્ટેનન્સની કામગીરીના પગલે તરસમિયા ફિલ્ટર હેઠળના વિસ્તારોમાં પાણીના ધાંધીયા
ભાવનગર : દિવાળી પર્વ નજીક છે ત્યારે સાફ સફાઈ માટે લોકોને પાણીની જરૂરીયાત વધુ હોય છે પરંતુ તંત્રને આ દિવસોમાં મેઈન્ટેનન્સની કામગીરી યાદ આવી છે, જેના પગલે ભાવનગર શહેરના તરસમિયા ફિલ્ટર હેઠળના વિસ્તારમાં ત્રણ દિવસ તબક્કાવાર પાણી કાપ રહેશે.
જીડબલ્યુઆઈએલ હસ્તકના નાવડા હેડવર્કસ ખાતે વલ્લભીપુર બ્રાન્ચ કેનાલમાં મેઈન્ટેનન્સની કામગીરી માટે આવતીકાલ તા. ૦૬ ઓકટોબરને સોમવારથી આગામી તા. ૦૮ ઓકટોબર-૨૦૨૫ બુધવાર સુધી ભાવનગર મહાપાલિકાને મહી પરીએજમાથી મળતું સમગ્ર રો-વોટર બંધ રહેશે, જેના કારણે ભાવનગર શહેરના તરસમિયા ફિલ્ટર પર મહીપરીએજનુ રો વોટર બંધ રહેશે તેથી ઘણા વિસ્તારોેમાં જે-તે દિવસે પાણી સપ્લાય બંધ રહેશે, જેમાં આવતીકાલે સોમવારે વર્ધમાન ઇએસઆર આધારિત અધેવાડા વિસ્તારની તમામ સોસાયટી વિસ્તાર તથા સીદસર રોડ, શેત્રુંજી ૫,૬,૭,૮ વગેરે વિસ્તારમાં પાણી સપ્લાય બંધ રહેશે.
બાલયોગીનગર ઇએસઆર આધારીત સમગ્ર સુભાષનગરમાં સુવિધા, વર્ષા, વી.પી. સોસાયટી, ૫૦-વારીયા રજપૂતવાડા, આવાસ યોજના, વેગેરે તથા એરપોર્ટ રોડ પરના તમામ પાણી સપ્લાય, દિલબહાર ઇએસઆર આધારિત કાળીયાબીડ ડી, કેસરીયા હનુમાન અને તેની આજુ-બાજુના વિસ્તારો, સાગવાડી અને તેની આજુ-બાજુના વિસ્તાર, રામનગર, ખોડીયાર હોલ અને તેની આજુ-બાજુના વિસ્તાર, શિવપાર્ક, કેપીઇએસ સ્કુલ પાછળના વિસ્તાર, અવધનગર, ગોકુળધામ વગેરે વિસ્તારોમાં પાણી સપ્લાય બંધ રહેશે તેમ મહાપાલિકાના વોટર વર્કસ વિભાગના અધિકારીએ જણાવેલ છે.
મંગળવારે શ્રીનાથજીનગર સહિતના વિસ્તારમાં પાણી વિતરણ ઠપ્પ
આગામી મંગળવારે રોજ પાણી વર્ધમાન ઇએસઆર આધારતિ શવિનગર, આસ્થા હોમ્સ, શ્રીનાથજીનગર, સીતારામ ચોક આજુ-બાજુનો તમામ વસ્તિાર, બે-માળિયા, સીંગલીયા, પુષ્પક, સધ્ધિાર્થ, હરીઓમનગર, તખ્તેશ્વર રેસીડેન્સી વગેરે વિસ્તાર તેમજ બાલયોગીનગર ઈએસઆર આધારીત ખારસી વસ્તિાર, ગાયત્રીનગર, બરસાના સોસાયટી, આવાસ યોજના, હિમાલીયા ટેનામેન્ટ, વારાહી સોસાયટી, અખલેશિ સર્કલ આજુ-બાજુની સોસાયટી, રૂવા ગામ, બાલા હનુમાન પાર્ક, મીરાપાર્ક, લાખાવાડ, મીની હીરાબજાર વગેરે સોસાયટી અને તેની આજુ-બાજુનો સમગ્ર વિસ્તાર, જયારે દિલબહાર ઇએસઆર આધારિત હરીઓમ-નીલમણીનગર-પટેલ પાર્ક-૧,૨, કબીર આશ્રમ, શાંતીનગર-૧,૨, ભગવતી સર્કલ આજુ-બાજુના તમામ વિસ્તારમાં પાણી સપ્લાય બંધ રહેશે.
બુધવારે તળાજા રોડ સહિતના વિસ્તારમાં પાણી નહીં મળે
આગામી બુધવારના રોજ વર્ધમાન ઇએસાર આધારિત વર્ધમાનનગર, બે-માળીયા, દેવરાજનગર, આશુતોષ, ભાગ્યોદય, માલધારી, શક્ષિક સોસાયટી, મહાવીરનગર, અંબન-૧૬૦, તળાજા રોડ, શિવનગર-૨, કામીનીયાનગર, રાધેશ્યામ, કસ્તુરબા, જીએમડીસી વસાહત, શેત્રુંજી રેસીડેન્સી-૧-૨-૩-૪, તખ્તેશ્વર હાઇટ્સ, તરસમિયા ગામ, અધેવાડા ગામ તેમજ બાલયોગીનગર ઈએસાર આધારીત પ્રગતિ, ઘોઘારોડ, ગૌશાળા, સત્કાર, મુરલીધર,બાલયોગીનગર,નારાયણપાર્ક, અકવાડા ગામ અને તેની આજુ-બાજુની તમામ સોસાયટી અને દિલબહાર ઇએસઆર આધારતિ સિંધુનગર તથા આજુબાજુના તમામ વિસ્તાર, તળાજા રોડ, આજુબાજુનો વિસ્તાર, હિલડ્રાઈવ, અક્ષરધામ, પટેલ પાર્ક, ઇસ્કો મેગા સીટી વગેરે વિસ્તારમાં પાણી સપ્લાય બંધ રહેશે.










