
– ભારતીય ચૂંટણી ઈતિહાસમાં અભૂતપૂર્વ ઘટના : ચૂંટણી હાર્યા છતાં રાજકીય કેફ ઊતરતો નથી
– બંગાળના ચૂંટણી પરિણામ જનાદેશ નહીં, કાવતરું હતું, અમારી લડાઈ ભાજપ નહીં ચૂંટણી પંચ સામે હતી, મુખ્ય ચૂંટણી કમિશનર વિલન ઃ મમતા
– તૃણમૂલનો ચૂંટણી પંચ, કેન્દ્રીય સુરક્ષા દળો, ન્યાયતંત્ર પર આક્ષેપ
કોલકાતા : પશ્ચિમ બંગાળમાં ૧૫ વર્ષ પછી સત્તા પરથી દૂર થતા ધૂંઆપૂંઆ થયેલા મમતા બેનરજીએ પરિણામો જાહેર થયાના બીજા દિવસે મંગળવારે પોતાનો પરાજય થયાનું સ્વિકારવાનો તેમજ મુખ્યમંત્રીપદેથી રાજીનામું આપવાનો ઈનકાર કરી દીધો છે. તેમણે દાવો કર્યો કે, આ પરિણામ જનાદેશ નથી, પરંતુ કાવતરું છે. તૃણમૂલ કોંગ્રેસે ચૂંટણી પંચ, કેન્દ્રીય સુરક્ષા દળો, ન્યાયતંત્ર પર ભાજપ માટે કામ કરવાના આક્ષેપ કર્યા હતા.










