
– પારિવારિક મિત્રએ જ માલણ નદીના કિનારે હત્યા કરી
– માતા સાથે પ્રેમ સંબંધ મામલે સગીરને ચાલતી તકરાર મુદ્દે હત્યા થઈ, મહુવા પોલીસ મથકમાં ગુનો નોંધાયો
ભાવનગર : મહુવામાં ૧૭ વર્ષિય સગીરની પારિવારિક મિત્રએ હત્યા કરી લાશને માલણ નદીના કિનારે અવાવરું જગ્યામાં કુવામાં ફેંકી દીધાંનો ચકચારી બનાવ પ્રકાશમાં આવ્યા છે. માતા સાથે પ્રેમસંબંધ મામલે સગીરને શખ્સ સાથે ચાલતી તકરાર મુદ્દે હત્યા કરવામાં આવી હતી. આ મામલે મૃતકના કાકાએ મહુવા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આગળની કાર્વયાહી હાથ ધરી છે.










