
Mumbai Airport : મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ ઇન્ટરનેશનલ એરપોર્ટની કનેક્ટિવિટી સુધારવા માટે એક મહત્વપૂર્ણ પગલું લેવામાં આવ્યું છે. એરપોર્ટના ટર્મિનલ-2ને સીધા મેટ્રો લાઈન-3 સાથે જોડતા એક ફુટ ઓવરબ્રિજનું ઉદ્ઘાટન કરાયું છે. અગાઉ મુસાફરોને લાંબા અંતર સુધી ચાલવું પડતું હતું, જોકે હવે નવો ફુટ ઓવરબ્રિજ બનતા મુસાફરોને રાહત થી છે. આ બ્રિજ લાઇન-3 પરના અંડરગ્રાઉન્ડ મેટ્રો સ્ટેશન અને એરપોર્ટ ટર્મિનલ વચ્ચેનું અંતર ઘટી ગયું છે.
બ્રિજ નિર્માણાધીન મેટ્રો લાઇન 7Aથી 23 મીટર ઉપર બનાવાયો










