![]()
Farrukhabad: ઉત્તર પ્રદેશમાં ફરુખાબાદ જિલ્લાના ખિમસેપુર ઔદ્યોગિક વિસ્તારમાં આજે એક મોટી હવાઈ દુર્ઘટના ટળી ગઈ હતી. ટેક ઓફ કરતી વખતે એક મીની જેટ વિમાન બેકાબૂ થઈ ગયું અને હવાઈ પટ્ટીની ઝાડીઓમાં જઈને અટકી ગયું. આ મીની જેટ એક ઉદ્યોગપતિના પરિવારને લઈને ખિમસેપુર જઈ રહ્યું હતું.
રનવે પર ગતિ પકડતી વખતે વિમાન બેકાબૂ થને લપસી ગયું અને બાઉન્ડ્રી પહેલા ઝાડીઓમાં અટકી ગયું. આ દુર્ઘટનામાં વિમાનમાં સવાર ઉદ્યોગપતિ અને તેમના પરિવારનો માંડ-માંડ બચાવ થયો અને એક મોટી દુર્ઘટના ટળી. ઘટનાની માહિતી મળતાં જ સ્થાનિક અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા અને આ મામલે તપાસ શરૂ કરી દીધી છે.
સવારે 10:30 વાગ્યે ભોપાલ જવા રવાના થયા હતા
પ્રાપ્ત માહિતી પ્રમાણે મોહમ્મદાબાદ શહેરમાં સ્થિત સરકારી હવાઈ પટ્ટી પર ખિમસેપુર ઔદ્યોગિક વિસ્તારમાં બની રહેલી બીયર ફેક્ટરીના ડીએમડી અજય અરોરા, એસબીઆઈ હેડ સુમિત શર્મા, બીપીઓ રાકેશ ટીકુ ફેક્ટરીના બાંધકામ કાર્યનું નિરીક્ષણ કરવા માટે ગઈકાલે બપોરે 3:00 વાગ્યે ભોપાલથી આવ્યા હતા, જેઓ આજે સવારે 10:30 વાગ્યે જેટ સર્વિસ એવિએશન પ્રાઈવેટ લિમિટેડના ખાનગી જેટ વીટી ડેઝ દ્વારા ભોપાલ જવા રવાના થયા હતા.
આ પણ વાંચો: 10મી વખત દુનિયાની નંબર-1 યુનિવર્સિટી બની ઓક્સફર્ડ, ટોપ-100માં ભારતની એકેય નહીં
રનવે પર લગભગ 400 મીટર સુધી જેટ વિમાને રન કર્યું હતું
ટેક ઓફ કરતી વખતે જેટ વિમાન બેકાબૂ થઈને નજીકની ઝાડીઓમાં ઘૂસી ગયું. જેટ રનવે પર લગભગ 400 મીટર દોડ્યું હતું, ત્યારબાદ આ દુર્ઘટના સર્જાઈ હતી.
ફ્લાઈટના વ્હીલ્સમાં હવા ઓછી હોવાના કારણે આ અકસ્માત સર્જાયો હતો. એવો આરોપ લગાવવામાં આવી રહ્યો છે કે પાઈલટની બેદરકારીને કારણે મોટી દુર્ઘટના સર્જાઈ શકતી હતી. પાયલટને વ્હીલ્સમાં હવા ઓછી હોવાની પહેલાથી જ જાણ હતી. ઉત્તર પ્રદેશ પ્રોજેક્ટ હેડ મેનેજર મનીષ કુમાર પાંડેએ જણાવ્યું કે, ફ્લાઇટ અહીંથી ભોપાલ જઈ રહી હતી.










