![]()
પાંચ સંવર્ગની પરીક્ષા યોજાયા બાદ
3 મેથી ૭ જૂન દરમિયાન તમામ પરીક્ષાઓ બાહ્ય અભ્યાસક્રમ કેન્દ્ર ખાતે યોજાશે
ભાવનગર – મ.કૃ.ભાવનગર યુનિવર્સિટીમાં નોન ટીચીંગ સીંગલ સંવર્ગની ભરતી અંતર્ગત પાંચ સંવર્ગ માટે ગઇકાલે પરીક્ષા યોજાયા બાદ અન્ય ૧૧ સંવર્ગ માટે પરીક્ષા કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે. જે જૂન સુધી ચાલશે.
મળતી વિગતો મુજબ મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટીમાં નોન ટીચીંગની વિવિધ સંવર્ગની જગ્યાઓ લાંબા સમયથી ખાલી રહેતા વહિવટી કામગીરી અસરગ્રસ્ત બની છે. જ્યારે સરકાર પક્ષે મંજુરી આવતા યુનિ. દ્વારા ભરતી પ્રક્રિયા આરંભી છે. ગઇકાલે પાંચ જગ્યા માટે ભરતી પરીક્ષા લેવાયા બાદ સીંગલ સંવર્ગની અન્ય જગ્યા પર અરજી, સ્કૃટીની સહિતની પ્રક્રિયા પૂર્ણ થતા તેની પરીક્ષાની તારીખ અને પરિણામની તારીખો પણ જાહેર કરવામાં આવી છે. જો કે, આ કાર્યક્રમમાં તા. ૩ મેના રોજ જૂ. એન્જિનીયર, લેબ ટેકનીશ્યન (ફિઝીક્સ) લેબ આસી. ઝુલોજીના ઉમેદવારોની પરીક્ષા લેવાશે. જ્યારે તા.૧૦-૫ના રોજ ફિલ્ડ કલેક્ટરની, તા.૧૭-૫ના લેબ ટેકનિશ્યન માઇક્રોબાયોલોજી, લેબ. ટેકનિશ્યન કેમેસ્ટ્રીની, તા.૨૪-૫ના લેબ આસીસ્ટન્ટ કેમેસ્ટ્રી, લે. આસિ. સ્ટેટેસ્ટીક, તા.૩૧-૫ના રોજ લેબ આસિ. માઇક્રોબાયોલોજી, લેબ આસિ. બોટનીની તેમજ તા.૭-૬ના રોજ લેબ આસિ. ફિઝીક્સની સીંગલ સંવર્ગવાળી કુલ ૧૧ ભરતી માટે બાહ્ય અભ્યાસક્રમ વિભાગમાં પરીક્ષાનું આયોજન જાહેર કરાયું છે. પરીક્ષા બાદ આન્સર કી, પ્રો. મેરીટ, ટ્રા. મેરીટ અને પરિણામની જાહેરાત કરવામાં આવશે.










