![]()
UP Governor AnandiBen Patel : ઉત્તર પ્રદેશના રાજ્યપાલ અને જનનાયક ચંદ્રશેખર યુનિવર્સિટીના ચાન્સેલર આનંદીબેન પટેલે મંગળવારે યુનિવર્સિટી કેમ્પસમાં આયોજિત સાતમા દીક્ષાંત સમારોહમાં હાજરી આપી હતી. સમારોહમાં સંબોધન દરમિયાન તેમણે યુવાનોમાં ડ્રગ્સ વ્યસન અને લિવ-ઇન રિલેશનશિપના વધતા વલણ પર ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે છોકરીઓને ચેતવણી આપી કે તેઓ લોભામણી યોજનાઓમાં ન ફસાય અને ઉમદા લક્ષ્ય તરફ પોતાનું જીવન સમર્પિત કરે. દીક્ષાંત સમારોહની શરૂઆત મંત્રો જાપથી કરવામાં આવી હતી.
આ પણ વાંચો: ‘હવે ભારત ઘરમાં ઘુસીને મારે છે, કોંગ્રેસે આતંકવાદ વિરૂદ્ધ કાર્યવાહી ન કરી’, PM મોદીનું મોટું નિવેદન
દીક્ષાંત સમારોહમાં વિદ્યાર્થીઓને સંબોધિત કરતાં તેમણે કહ્યું હતું કે, યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓની 75% હાજરી હોવી જોઈએ. જો તે 75% સુધી નહીં પહોંચે, તો તેઓ પરીક્ષાઓ રદ કરશે. તેમણે તેમના શિક્ષણ વિશે વાત કરતાં કહ્યું કે, ‘હું એ સમયે સ્કૂલમાં 10 કિલોમીટર ચાલીને જતી હતી. વધુમાં એ સમયે પગમાં પહેરવા અમારી પાસે જૂતા પણ નહોતા. સરદાર વલ્લભભાઈ પટેલ 40 કિલોમીટર ચાલીને ભણવા જતા હતા. તેમનું એકમાત્ર ધ્યેય વકીલ બનવાનું અને દેશમાં પોતાનું નામ બનાવવાનું હતું.’
ડ્રગ્સથી દૂર રહો, લિવ ઈન રિલેશન સમાજ માટે ખતરા સમાન
રાજ્યપાલે યુવાનોમાં ડ્રગ્સ વ્યસન અને લિવ-ઇન રિલેશનશિપના વધતા વલણ પર ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે વિદ્યાર્થીઓને સલાહ આપી કે તેઓ લલચાવનારી યોજનાઓથી સાવધાન રહે તેમજ ઉમદા લક્ષ્યો માટે પોતાનું જીવન સમર્પિત કરે. રાજ્યપાલે કહ્યું કે, બે છાત્રાલયો વચ્ચેની ખાલી જગ્યામાં દારૂની બોટલો અને ડ્રગ્સ જોવા મળ્યું જે ખૂબ જ ગંભીર અને ચિંતાજનક મુદ્દો છે. કેન્દ્ર સરકાર નશા મુક્ત આંદોલન ચલાવી રહી છે, જ્યારે બીજી તરફ યુવાનો વ્યસની બની રહ્યા છે. આપણા યુવાનો જ્યારે ડ્રગ્સ છોડી દેશે અને દારૂ પીવાનું બંધ કરશે ત્યારે જ આપણને ખુશી મળશે.
આ પણ વાંચો: ફક્ત કફ સિરપ જ નહીં પણ બેદરકારીથી આપેલી આ દવાઓ પણ બાળકો માટે જીવલેણ સાબિત થઇ શકે!
લિવ-ઇન રિલેશનશિપ ગંભીર અને ચિંતાજનક
રાજ્યપાલે લિવ-ઇન રિલેશનશિપ અંગે ગંભીર ચિંતા વ્યક્ત કહ્યું કે, 15 વર્ષની છોકરીઓ અનાથાશ્રમમાં નાના બાળકોને ખોળામાં લઈને જોવા મળે છે. લિવ ઈન રિલેશન સમાજ માટે ખતરા સમાન છે, જે ગંભીર અને ચિંતાજનક વિષય છે. છોકરીઓને લલચાવીને હોટલમાં લઈ જવામા આવે છે અને ખવડાવતા હોય છે. બાળકો પેદા કરીને પછી તેમને ઘરમાંથી કાઢી મૂકવામાં આવે છે. સંબંધીઓ અને પરિવારના સભ્યો પણ છોકરીઓને હેરાન કરે છે. અમે છોકરીઓના શિક્ષણની વ્યવસ્થા કરી છે. ગામના વડાઓ અને જનપ્રતિનિધિઓનું કર્તવ્ય છે કે તેઓ તેમને શિક્ષિત કરે જેથી તેમનું જીવન બરબાદ ન થાય. પછી ન તો તેમના માતાપિતા પૂછશે કે તેમના સાસરિયાઓ. એટલે મન લગાવીને અભ્યાસ કરો.










