
CM Yogi on Waqf: ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે સંસદમાં પાસ થઈ ચૂકેલા વક્ફ સંશોધન અધિનિયમને લઈને આગળનો પ્લાન શનિવારે જાહેર કર્યો હતો. મહારાજગંજમાં યોગીએ કહ્યું હતું કે, ‘લાખો એકર જમીન વક્ફ બોર્ડના નામ પર કબ્જે કરવાનું કામ કરાયું હતું. કેટલાક લોકો માટે તે લૂંટનું માધ્યમ બની ગયું હતું. જેના પર હવે સંપૂર્ણ રીતે લગામ લાગશે. આ જમીનો પરત લેવામાં આવશે. હવે વક્ફ બોર્ડની જમીન પર કોઈ લૂંટ નહીં કરી શકે.










