gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

વજેન્દ્ર પાંડેએ તેની પત્ની સમલેંગિક હોવાની પોલીસ ફરિયાદ નોંધાવી | kalupur swaminarayan temple future…

G METRO NEWS by G METRO NEWS
August 17, 2025
in GUJARAT
0 0
0
વજેન્દ્ર પાંડેએ તેની પત્ની સમલેંગિક હોવાની પોલીસ ફરિયાદ નોંધાવી | kalupur swaminarayan temple future…
0
VIEWS
Share on FacebookShare on Twitter


અમદાવાદ,રવિવાર

કાલુપુર સ્વામીનારાયણ ગાંદી સંસ્થાનના ભાવી આચાર્ય વજેન્દ્ર પાંડે ઉર્ફે લાલજી મહારાજે ઘાટલોડીયા પોલીસ મથકે ચોંકાવનારી ફરિયાદ નોંધાવતા ભારે ચર્ચા જોવા મળી રહી છે.  મેમનગરમાં આવેલા સ્વામીનારાયણ બાગમાં રહેતા વજેન્દ્ર પાંડેએ તેમની પત્ની અવંતિકા શુક્લા પર ગંભીર આરોપ લગાવ્યો છે કે લગ્ન બાદ બાલી ખાતે હનીમુન દરમિયાન તે ખાવામાં ઉંઘની દવા આપીને બેહોશ કર્યા બાદ રૂમમાં અન્ય સ્ત્રીને બોલાવીને તેની સાથે સંબધ બાંધતી હતી. એટલું જ નહી તેના મોબાઇલમાંથી કેટલાંક વાંધાજનક ચેટ પણ મળી હતી. આ બાબતને લઇને બંને પક્ષે પારિવારિક વિવાદ થતા અવંતિકાના પરિવારજનોએ વજેન્દ્ર પાંડેના પરિવારને બદનામ કરવાનું કહીને સમાધાન માટે ૧૦૦ કરોડની માતબર રકમની માંગણી કરી હોવાનો આરોપ પણ ફરિયાદમાં કરાયો છે. આ સમગ્ર મામલે ઘાટલોડીયા પોલીસે  તમામ પાસાઓ અને પુરાવાઓને આધારે તપાસ શરૂ કરી છે.

વજેન્દ્ર પાંડેએ તેની પત્ની સમલેંગિક હોવાની પોલીસ ફરિયાદ નોંધાવી 2 - imageમેમનગરમાં આવેલા સ્વામીનારાયણ બાગમાં રહેતા અને કાલુપુર સ્વામીનારાયણ મંદિરના ભાવી આચાર્ય વજેન્દ્ર પ્રસાદ પાંડેએ નોંધાવેલી ફરિયાદની વિગતો એવી છે કે  તે હાલ તેમના દાદા તેજેન્દ્રપ્રસાદ , દાદી વિરાજકુમારી, પિતા કૌશેલ્દ્રપ્રસાદ, માતા સુનિતાબેન સાથે રહે છે.  તેજેન્દ્રપ્રસાદજી નિયમિત રીતે બપોર સુધી નારણપુરામાં આવેલા સ્વામીનારાયણ મ્યુઝીયમ પર બેસતા હોવાથી તેમને શશીકાંત તિવારી (રહે. પાલડી) નામનો વ્યક્તિ મળવા માટે આવતો હતો. તેણે વિશ્વાસ કેળવીને તેજેન્દ્ર પ્રસાદને  કાલુપુર ગાદીના ભાવી આચાર્ય વજેન્દ્ર પ્રસાદના લગ્ન કરવા માટે પ્રયાગરાજમાં રહેતા અજય શંકર શુક્લાની પુત્રી અવંતિકા નામનો પ્રસ્તાવ મુક્યો હતો.  જેથી ફેબુ્રઆરી ૨૦૨૪માં શશીકાંત તિવારી અજય શંકર અને તેમની પુત્રી અવંતિકા તેમજ પરિવારના  અન્ય સભ્યોનો લઇને સ્વામીનારાયણ બાગ ખાતે મળવા માટે આવ્યા હતા. જ્યાં પ્રાથમિક વાતચીત બાદ વજેન્દ્ર પ્રસાદે લગ્ન માટે હા કહી હતી. પરંતુ,  થોડા સમય બાદ અવંતિકાના પરિવારજનો દ્વારા લગ્ન જલ્દી થાય તે માટે સતત દબાણ કરવામાં આવતુ હતું. જેથી વજેન્દ્ર પ્રસાદને શંકા ઉપજી હતી. પરંતુ, સામાજિક પ્રતિષ્ઠાને ધ્યાનમાં રાખીને ૨૫મી એપ્રિલ ૨૦૨૪ના રોજ પ્રયાગરાજ ખાતે સગાઇ કરી કરી હતી.

તેના ત્રણ મહિના બાદ ૨૫મી જુલાઇએ પ્રયાગરાજ ખાતે લગ્ન થયા હતા. લગ્ન બાદ ૨૭મી જુલાઇથી ૬ ઓગસ્ટ સુધી વજેન્દ્રપ્રસાદ અને અવંતિકા હનીમુન માટે બાલી ઇન્ડોનેશીયા ગયા હતા. જ્યાં પ્રથમ દિવસે જ સાંજ જમ્યા બાદ વજેન્દ્રપ્રસાદને ઘેન ચઢવા લાગ્યુ હતુ અને તે સુઇ ગયા હતા અને બીજા દિવસે બપોરે બાર વાગે ઉઠયા હતા. આ સમયે તેમની તબિયત નાદુરસ્ત થઇ હતી અને માથુ દુખતુ હતું. બીજા દિવસે સાંજે ફરીથી જમીને ઉંઘ આવી ગઇ હતી. આ દરમિયાન હોટલનો રૂમ અપગ્રેડ થતા સામાન ફેરવતા સમયે અવંતિકાની બેગમાંથી એક સફેદ પાવડરની પડીકી મળી હતી.

જે અંગે પુછતા તેણે જણાવ્યું હતું કે આ આર્યુવેદિક દવા છે. નવા રૂમની બાલ્કનીમાં વજેન્દ્રપ્રસાદ ફોન પર વાત કરતા હતા ત્યારે સાંજે જોયુ તો અવંતિકા સુપમાં સફેદ પાવડર ઉમેરતી હતી. જેથી તેમણે સુપ પીવાના બહાને નજર ચુકવીને બહાર ઢોળી દીધો હતો અને ઉંઘવાનો ડોળ કર્યો હતો. આ સમયે તેમણે જે દ્રશ્ય જોયુ તો જોઇને ચોંકી ગયા હતા. કારણ કે  અવંતિકા અન્ય સ્ત્રી સાથે વાંધાજનક સ્થિતિમાં હતી. પરંતુ, આઘાત લાગતા આ વાતની જાણ કોઇને કરી નહોતી. 

લગ્ન બાદ અવંતિકાએ તેના ભાઇના અભ્યાસ માટે સાડા ત્રણ લાખ રૂપિયા માંગ્યા હતા. બાદમાં તબક્કાવાર કુલ ૧૧ લાખ રૂપિયા લીધા હતા.  ૨૦ ઓક્ટોબર ૨૦૨૪થી ૨૪ ઓક્ટોબર દરમિયાન વજેન્દ્રપ્રસાદ અને અવંતિકા દુબઇ ગયા હતા. આ સમયે અવંતિકા રૂમમાં જમવાનું મંગાવવાનો આગ્રહ કરતી હતી. પરંતુ, તે હોટલના રેસ્ટોરન્ટમાં જમવાનું નક્કી કર્યું હતું. હોટલમાં તે સ્ત્રીઓને અલગ નજરે જોતી હતી. જેથી વજેન્દ્ર પ્રસાદે ટોકતા અવંતિકાએ ઘટસ્ફોટ કર્યો હતો કે તેને પુરૂષોમાં નહી પણ સ્ત્રીઓમાં રસ છે.  દુબઇથી પરત આવ્યા બાદ તક મળતા વજેન્દ્રપ્રસાદે અવંતિકાનો જુનો ફોન તપાસતા તે ચોંકી ઉઠયા હતા. કારણ કે સોશિયલ મિડીયા એકાઉન્ટમાં કેટલાંક મેસેજ જોયા હતા. જેમાં તેણે તેની સ્ત્રી મિત્ર સાથે મળીને પરિવારની પ્રતિષ્ઠાને હાની પહોંચાડીને ૧૦૦ કરોડ રૂપિયા લઇને ભાગી જવાની યોજના બનવી હતી. જે સ્ક્રીન શોટ પુરાવા રૂપે લીધા બાદ વજેન્દ્રપ્રસાદે અવંતિકાના પિતા , માતા ભાઇ તેમજ પરિવારના લોકોને આ બાબતે સ્પષ્ટતા કરવા માટે બોલાવ્યા હતા અને આ મામલે તકરાર થતા તે  અવંતિકાને સાથે લઇ ગયા હતા.  આ સમયે તેમણે વજેન્દ્ર પ્રસાદ અને તેના પરિવારને બદનામ કરવાની ધમકી આપી હતી. 

આ બનાવના થોડા મહિના બાદ અવંતિકાના પિતા અને અન્ય કુંટુબી મળવા માટે આવ્યા હતા. તેમણે કહ્યું હતું કે અવંતિકાએ આ કૃત્ય બાળ બુદ્ધિમાં કર્યું છે. જેથી સમાધાન કરીને તેને ફરીથી રાખવા માટે કહ્યું હતું. પરંતુ, વજેન્દ્રપ્રસાદના પરિવારજનોએ આ પ્રસ્તાવનો વિરોધ કરતા અવંતિકાના પિતા અને અન્ય કુંટુબીજનોએ ધમકી આપી હતી કે શાંતીથી જીવન પસાર કરવું હોય તો ૧૦૦ કરોડ તૈયાર રાખજો. આ સમગ્ર મામલે ઘાટલોડીયા પોલીસ મથકે ફરિયાદ નોંધવામાં આવતા પુરાવાના આધારે પોલીસે તપાસ શરૂ કરી છે.



G METRO NEWS

G METRO NEWS

Related Posts

वारून फॉरएवर’ के लिए साथ आए श्रेया घोषाल और रोमी, एक्सेल एंटरटेनमेंट और अमेजन MGM स्टूडियोज ने जारी …
GUJARAT

वारून फॉरएवर’ के लिए साथ आए श्रेया घोषाल और रोमी, एक्सेल एंटरटेनमेंट और अमेजन MGM स्टूडियोज ने जारी …

August 16, 2026
ભગવાન જગન્નાથજીની છત્રછાયામાં ભવ્ય લોક ડાયરાનું કરાયું ભવ્ય આયોજન
GUJARAT

ભગવાન જગન્નાથજીની છત્રછાયામાં ભવ્ય લોક ડાયરાનું કરાયું ભવ્ય આયોજન

August 16, 2026
What is Khushi Kapoor up to?
GUJARAT

What is Khushi Kapoor up to?

August 16, 2026
Next Post
બિહારમાં SIRમાંથી નામ રદ થયેલા મતદારોની યાદી જાહેર, SCના આદેશ બાદ ECનો નિર્ણય | election commission …

બિહારમાં SIRમાંથી નામ રદ થયેલા મતદારોની યાદી જાહેર, SCના આદેશ બાદ ECનો નિર્ણય | election commission ...

બેંગકોકમાં વર્ક પરમીટના નામે સાયબર ક્રાઇમની તાલીમનું કૌભાંડ | ahmedabad cyber crime nabbed youth com…

બેંગકોકમાં વર્ક પરમીટના નામે સાયબર ક્રાઇમની તાલીમનું કૌભાંડ | ahmedabad cyber crime nabbed youth com...

સાણંદના શીયાવાડામાં ત્રાટકેલા લૂટારૂઓએ કુહાડી બતાવી લૂંટ આચરી | robbery case reported in Shiyavada v…

સાણંદના શીયાવાડામાં ત્રાટકેલા લૂટારૂઓએ કુહાડી બતાવી લૂંટ આચરી | robbery case reported in Shiyavada v...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

જામજોધપુરના કાપડનો વેપારી 8 વ્યાજખોરોની ચુંગાલમાં ફસાઈ જતાં ઘેનની ગોળીઓ ખાવાનો વારો આવ્યો, 8 લોકો સા…

જામજોધપુરના કાપડનો વેપારી 8 વ્યાજખોરોની ચુંગાલમાં ફસાઈ જતાં ઘેનની ગોળીઓ ખાવાનો વારો આવ્યો, 8 લોકો સા…

1 year ago
બી.આર ગવઇ બનશે સુપ્રીમ કોર્ટના નવા ચીફ જસ્ટિસ, રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મુએ આપી મંજૂરી | Justice BR Ga…

બી.આર ગવઇ બનશે સુપ્રીમ કોર્ટના નવા ચીફ જસ્ટિસ, રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મુએ આપી મંજૂરી | Justice BR Ga…

1 year ago
બ્રેકઅપ બાદ અંગત ફોટા વાયરલ કરવાની ધમકી આપી : પ્રેમસંબંધ રાખવા દબાણ કરતા પ્રેમી સામે પ્રેમિકાની ફરિય…

બ્રેકઅપ બાદ અંગત ફોટા વાયરલ કરવાની ધમકી આપી : પ્રેમસંબંધ રાખવા દબાણ કરતા પ્રેમી સામે પ્રેમિકાની ફરિય…

4 months ago
‘ઓપરેશન સિંદૂર’ બાદ વડાપ્રધાન મોદીનો મહત્ત્વનો નિર્ણયઃ ત્રણ દેશોની વિદેશ યાત્રા કરી મોકૂફ | PM Modi …

‘ઓપરેશન સિંદૂર’ બાદ વડાપ્રધાન મોદીનો મહત્ત્વનો નિર્ણયઃ ત્રણ દેશોની વિદેશ યાત્રા કરી મોકૂફ | PM Modi …

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

Follow Us

Recommended

જામજોધપુરના કાપડનો વેપારી 8 વ્યાજખોરોની ચુંગાલમાં ફસાઈ જતાં ઘેનની ગોળીઓ ખાવાનો વારો આવ્યો, 8 લોકો સા…

જામજોધપુરના કાપડનો વેપારી 8 વ્યાજખોરોની ચુંગાલમાં ફસાઈ જતાં ઘેનની ગોળીઓ ખાવાનો વારો આવ્યો, 8 લોકો સા…

1 year ago
બી.આર ગવઇ બનશે સુપ્રીમ કોર્ટના નવા ચીફ જસ્ટિસ, રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મુએ આપી મંજૂરી | Justice BR Ga…

બી.આર ગવઇ બનશે સુપ્રીમ કોર્ટના નવા ચીફ જસ્ટિસ, રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મુએ આપી મંજૂરી | Justice BR Ga…

1 year ago
બ્રેકઅપ બાદ અંગત ફોટા વાયરલ કરવાની ધમકી આપી : પ્રેમસંબંધ રાખવા દબાણ કરતા પ્રેમી સામે પ્રેમિકાની ફરિય…

બ્રેકઅપ બાદ અંગત ફોટા વાયરલ કરવાની ધમકી આપી : પ્રેમસંબંધ રાખવા દબાણ કરતા પ્રેમી સામે પ્રેમિકાની ફરિય…

4 months ago
‘ઓપરેશન સિંદૂર’ બાદ વડાપ્રધાન મોદીનો મહત્ત્વનો નિર્ણયઃ ત્રણ દેશોની વિદેશ યાત્રા કરી મોકૂફ | PM Modi …

‘ઓપરેશન સિંદૂર’ બાદ વડાપ્રધાન મોદીનો મહત્ત્વનો નિર્ણયઃ ત્રણ દેશોની વિદેશ યાત્રા કરી મોકૂફ | PM Modi …

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..
  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News