![]()
વડોદરાઃ વડોદરા ફાયર બ્રિગેડના કર્મચારીઓનો પગારનો મુદ્દો હલ થતાં આજે તેમની હડતાળ પરત ખેંચાઇ છે.
કોર્પોરેશનના ફાયર બ્રિગેડના ૧૦૦ જેટલા કોન્ટ્રાક્ટના કર્મચારીઓનો પગાર અનિયમિત થતો હોવાથી અને તેમને કાયમી નહિ કરતા હોવાથી વારંવાર રજૂઆતો કર્યા બાદ તેઓ હડતાળ પર ઉતરી ગયા હતા.
ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસરે કહ્યું હતું કે,આજે તમામ કર્મચારીઓનો પગાર થઇ ગયો છે.કર્મચારીઓને ફાયર સર્વિસ ઉપરાંત એમ્બ્યુલન્સ અને પાણીની ટાંકી જેવી સેવામાં લાગી જવા કહેવાયું છે.










