
બિકાનેર સ્થિત કોલાયત મંદિરમાં દર્શન કરી શ્રદ્ધાળુઓ પાછા ફરતા હતા
મૃતકોમાં મહિલા-બાળકોનો સમાવેશ : તીવ્ર ગતિએ દોડતી ટેમ્પો ટ્રાવેલર અચાનક રસ્તા પર ઊભેલી ટ્રક સાથે ટકરાઈ
જોધપુર: રાજસ્થાનના ફલોદી જિલ્લાના મતોડા પોલીસ સ્ટેશન ક્ષેત્રમાં ભારતમાલા એક્સપ્રેસ વે પર રવિવારે મોડી સાંજે એક અકસ્માત થયો હતો. જોધપુરના સૂરસાગરના કેટલાક રહેવાસી બિકાનેર સ્થિત કોલાયત મંદિરમાં દર્શન કરી ટેમ્પો ટ્રાવેલરમાં પાછા ફરી રહ્યા હતા. હનુમાન સાગર ચાર રસ્તા પાસે તિવ્ર ગતિએ ટેમ્પો ટ્રાવેલર રસ્તા પર ઊભા રહેલા ટ્રકની પાછળ ઘૂસી ગયો હતો. આ અકસ્માતમાં ૧૫થી વધુ લોકોનાં મોત નીપજ્યાં જ્યારે અન્ય ૧૫થી ૧૬ લોકો ઘાયલ થયા હતા.










