
Supreme Court On Symbol controversy : સુપ્રીમ કોર્ટે સોમવારે ઉદ્ધવ ઠાકરેના નેતૃત્વ હેઠળના જૂથ દ્વારા મહારાષ્ટ્ર વિધાનસભા અધ્યક્ષના એકનાથ શિંદેના નેતૃત્વ હેઠળના શિવસેના જૂથને પાર્ટીનું ચિન્હ “ધનુષ્ય અને તીર” ફાળવવાના નિર્ણય સામેની અરજીની સુનાવણી માટે ઑગસ્ટ મહિનાનો સમય નક્કી કર્યો છે.
જસ્ટિસ સૂર્યકાંત અને જાયમાલ્ય બાગચીની બેંચે આજે (14 જુલાઈ) કહ્યું હતું કે, ‘આ મુદ્દો ઘણા સમયથી છે અને અનિશ્ચિતતા રાખવાને લઈને મંજૂરી આપી શકાય નહીં.’ બેંચમાં ઉદ્વવ જૂથ તરફથી ઉપસ્થિત વરિષ્ઠ અધિવક્તા કપિલ સિબ્બલે કહ્યું હતું કે, ‘આ મામલનો નિર્ણય ઑગસ્ટ મહિનામાં આવશે. રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને તેઓ આ મામલાનો ઝડપી નિકાલ લાવવાની માગ કરી રહ્યા છે.’










