
Sant Premanand Maharaj News: મધ્યપ્રદેશના સતના જિલ્લામાં એક યુવકે વૃંદાવનના જાણીતા સંત પ્રેમાનંદ મહારાજને જાનથી મારી નાખવાની ધમકી આપી છે. સંત પ્રેમાનંદ મહારાજને જાનથી મારવાની ધમકી આપનારા સતનાના યુવકની પોસ્ટથી હોબાળો ઉભો કરી દેવાયો છે. યુવકે ફેસબુક પર એક કોમેન્ટના જવાબમાં ટિપ્પણી કરતા સંતનું ગળું કાપવાની વાત કરી, જે ઝડપથી વાયરલ થઈ ગઈ.
આરોપી વિરૂદ્ધ એક્શન લેવાની માગ ઉઠી રહી છે. રીવા-સતનાના શ્રદ્ધાળુ અને સામાજિક સંગઠનોએ આરોપી યુવક પર કડક કાર્યવાહીની માગ કરી છે.










