
– ભારતમાં વાયુ પ્રદૂષણથી વર્ષે 20 લાખ લોકોનાં મોત
– ફટાકડા ફોડવા, ધૂમાડો ઓકતા વાહનો, એસી દ્વારા છોડાતો ગ્રીનહાઉસ ગેસ, શહેરોમાં વૃક્ષોનું નિકંદન, કોંક્રિટના જંગલો, પેટ્રોલિયમ પ્રોડક્ટ્સનો વધતો વપરાશ
– દુનિયાની 36 ટકા વસતી વાયુ પ્રદૂષણના ભરડામાં, વર્ષે 79 લાખનાં મોત : બોસ્ટનની હેલ્થ ઈફેક્ટ ઈન્સ્ટિટયૂટનું તારણ
નવી દિલ્હી : દુનિયામાં વાયુ પ્રદૂષણના કારણે ગંભીર ખતરો સર્જાયો છે. વાયુ પ્રદૂષણથી લાખો લોકોનાં મોત તો થઈ જ રહ્યા છે, સાથે સાથે અન્ય સમસ્યાઓ પણ ખડી થઈ રહી છે. માનવ સ્વાસ્થ્ય સામે કેટલાય જોખમો વાયુ પ્રદૂષણની આડઅસરના કારણે જોવા મળી રહ્યા છે.










