
બિહારમાં ચૂંટણી પ્રક્રિયાની પારદર્શિતા પર સવાલ
કલેકટરને સ્થળ તપાસ કરી અહેવાલ સોપવા ચૂંટણી પંચનો આદેશ
સમસ્તિપુર: બિહારના સમસ્તીપુર જિલ્લામાં સરાયરંજન વિધાનસભા ક્ષેત્રમાં કેએસઆર કોલેજની પાસે સડક કિનારે ભારે સંખ્યામાં ઇવીએમથી નીકળનાર કાપલીઓ વિખેરાયેલી મળી આવી હતી. રાષ્ટ્રીય જનતા દળે આ મુદે ચૂંટણી પ્રક્રિયાની પારદર્શિતા અને ચૂંટણી પંચની શાખ પર સવાલ ઉઠાવ્યાં હતાં.
આરજેડીએ એક્સ પર લખ્યું કે સમસ્તીપુરના સરાયરંજન વિધાનસભા ક્ષેત્રમાં કેએસઆર કોલેજ પાસે સડક પર મોટી સંખ્યામાં ઇવીએમથી નીકળનાર વીવીપેટ પહોંચ ફેકી દેવાયેલ મળી આવી હતી.










