![]()
South Actor Srinivasan: દક્ષિણ ભારતીય ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાંથી દુઃખદ સમાચાર આવી રહ્યા છે. દિગ્ગજ મલયાલમ એક્ટર શ્રીનિવાસનનું 69 વર્ષની વયે અવસાન થયું છે. શ્રીનિવાસને લગભગ ચાર દાયકા સુધી પોતાના અભિનયથી દર્શકોનું મનોરંજન કર્યું છે. એક મહાન એક્ટર હોવા ઉપરાંત, તેઓ એક પ્રખ્યાત લેખક અને નિર્માતા પણ હતા. તેમણે પોતાની કારકિર્દીમાં 225થી વધુ ફિલ્મોમાં અભિનય કરીને ફેન્સના દિલ જીતી લીધા. તેમના નિધનથી મલયાલમ ફિલ્મ ઉદ્યોગને મોટો ફટકો પડ્યો છે. શ્રીનિવાસનના નિધનથી ફિલ્મ ઉદ્યોગમાં શોકની લહેર ફેલાઈ ગઈ છે.
આ પણ વાંચોઃ ‘મને લોહી નીકળવા લાગ્યું, દીકરી આઘાતમાં..’, દિલ્હી એરપોર્ટ પર પાઈલટે યાત્રીને લોહીલુહાણ કરી નાખ્યો
225થી વધુ ફિલ્મોમાં કર્યો અભિનય
શ્રીનિવાસન મલયાલમ સિનેમામાં એક પ્રખ્યાત નામ હતું. કેરળના કન્નુર જિલ્લામાં થાલાસેરી નજીક જન્મેલા શ્રીનિવાસને તેમની કારકિર્દીમાં 225થી વધુ ફિલ્મોમાં અભિનય કર્યો. તેઓ શાનદાર ફિલ્મોનો ખજાનો પાછળ છોડી ગયા છે. લગભગ પાંચ દાયકા સુધી દર્શકોનું મનોરંજન કરનારા શ્રીનિવાસનના અચાનક અવસાનથી તેમના ચાહકોને આઘાત લાગ્યો છે.
એક્ટિંગની સાથે-સાથે ડિરેક્શનમાં પણ કર્યું કામ
શ્રીનિવાસન એક એવા કલાકાર હતા જેમણે એક્ટિંગ સિવાય ફિલ્મો લખી અને નિર્માણ કર્યું. તેમણે ડિરેક્ટર તરીકેની કારકિર્દીની શરૂઆત કરીને પોતાના શાનદાર અભિનયથી દર્શકોને દીવાના બનાવી દીધા હતા. બાદમાં તેઓ અભિનય તરફ વળ્યા. તેમના ડિરેક્શનમાં બનેલી ફિલ્મોમાં, “વડક્કુનોક્કિયંથ્રમ” અને “ચિંતાવિષ્ટય્યા શ્યામલા” દર્શકો વચ્ચે ચર્ચામાં રહી હતી. “વડક્કુનોક્કિયંથ્રમ” ને કેરળ રાજ્યનો શ્રેષ્ઠ ફિલ્મ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો, જ્યારે “ચિંતાવિષ્ટય્યા શ્યામલા” ને રાષ્ટ્રીય પુરસ્કાર મળ્યો.
આ પણ વાંચોઃ આસામમાં મોટી ટ્રેન દુર્ઘટના, રાજધાની એક્સપ્રેસની અડફેટે અનેક હાથીના મોત, 5 ડબા ખડી પડ્યાં
અનેક એવોર્ડ જીત્યા
અભિનય અને ડિરેક્શન ઉપરાંત, શ્રીનિવાસને ઘણી શાનદાર ફિલ્મો પણ લખી જે આજે પણ દર્શકોની પસંદ છે. આમાં “ઓડારુથમ્માવ આલરિયમ,” “સનમાનસુલ્લાવક્કુ સમાધાનમ,” “પટ્ટનપ્રવેશમ,” “સંદેસમ,” “નાદોદિકટ્ટુ,” “ગાંધીનગર 2જી સ્ટ્રીટ,” “ઓરુ મારવથુર કનવુ,” “ઉદયાનુ થારમ,” અને “કથા પરાયમ્પોલ” જેવી ક્લાસિક ફિલ્મો સામેલ છે. શ્રીનિવાસનને તેમની શાનદાર કારકિર્દી માટે નેશનલ ફિલ્મ એવોર્ડ, બે ફિલ્મફેર સાઉથ એવોર્ડ્સ અને છ કેરળ સ્ટેટ ફિલ્મ એવોર્ડ મળ્યા હતા.










