
– ફાયર ફાયટરની ટીમે તમામને સલામત બહાર કાઢ્યા
– શ્રવણ ટોકીઝ રોડ પર મકાનનો પેસેજ તૂટી સીડી પર પડતા પરિવાર ઉપરના માળે ફસાયો હતો
સુરેન્દ્રનગર : સુરેન્દ્રનગર શહેરની મધ્યમાં આવેલી શ્રવણ ટોકીઝ રોડ પર આજે એક વર્ષો જૂના મકાનનો પેસેજ અચાનક ધરાશાયી થતા મોટી દુર્ઘટના સર્જાઈ હતી. આ દુર્ઘટનાને પગલે મકાનના ઉપરના માળે રહેતા પરિવારના પાંચ સભ્યો ફસાઈ ગયા હતા.
ઘટનાની જાણ થતા જ સુરેન્દ્રનગર મહાનગરપાલિકાની ફાયર ફાયટર ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને યુદ્ધના ધોરણે બચાવ કામગીરી હાથ ધરી હતી.










