
Eknath Shinde Threat : મહારાષ્ટ્રમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ નજીક આવતા જ સત્તાધારી મહાયુતિ ગઠબંધનમાં ખટરાગ ચરમસીમાએ પહોંચી ગયો છે. શિવસેના અને ભાજપ વચ્ચે ચાલી રહેલા સંઘર્ષમાં હવે ખુદ નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદેએ ઝંપલાવ્યું છે. શનિવારે તેમણે અધિકારીઓને કડક શબ્દોમાં ચેતવણી આપતા કહ્યું કે, જો તેમના કાર્યકરોને પરેશાન કરવામાં આવ્યા કે તેમની સાથે અન્યાય કરવામાં આવ્યો તો તેમને “એકનાથ શિંદેના ગુસ્સાનો સામનો કરવો પડશે.”
ભાજપને આડકતરો ઈશારો
પોતાના સાથી પક્ષ ભાજપને પરોક્ષ રીતે ઈશારો કરતા શિંદેએ વધુમાં કહ્યું, “મને ખબર છે કે કોણ શું કરી રહ્યું છે.










